આદિત્યાણા નજીક પુરઝડપે જઈ રહેલા ટ્રક ચાલકે ત્રિપલ સવારી માં જઈ રહેલા બાઇકને ઠોકર મારતા પ્રૌઢનું મોત થયું છે. જ્યારે બે યુવાનોને ગંભીર હાલતમાં સારવાર મા ખસેડાયા છે.
ભાણવડના રાણપર ગામે રહેતા અરવિંદ જીણાભાઇ સોનગરા(ઉવ ૪૫) નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેના મોટાભાઇ રમેશભાઇ સોનગરા (ઉ.વ. ૪૯),રાણપરના ધરમગર દેવગર મેઘનાથી તથા આદિત્યાણા કેશુભાઇ રામભાઇ મેઘનાથી ત્રિપલ સવારીમાં બાઇકમાં આદિત્યાણા ગામના બાયપાસ રોડ પરથી રાણાવાવ બાજુના ગેઇટ પરની ગોલાઇ પર પહોંચ્યા ત્યારે પુરઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે બાઇકને ઠોકર મારતા ત્રણેય ને ગંભીર ઈજાઓ થઇ હતી.
આથી ૧૦૮ ને જાણ કરતા ટીમ તુરંત દોડી જઈ તપાસ કરતા રમેશભાઇનું મોત થયું હોવાનું જાહેર કર્યું હતું. આથી તેના મૃતદેહને રાણાવાવની સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. જયારે અન્ય બે ઇજાગ્રસ્તો ધરમગરભાઇ અને કેશુભાઇને વધુ સારવાર માટે પોરબંદર ખસેડવામાં આવ્યા છે. અજાણ્યા ટ્રક ચાલક સામે બેફીકરાઈથી ટ્રક ચલાવીને રમેશભાઇનું મોત નીપજાવ્યા અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.