Thursday, June 26, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં શ્રી રામદેવજી મહારાજના ધ્વજારોહણનું દિવ્ય આયોજન સંપન્ન

પોરબંદરમાં શ્રી રામદેવજી મહારાજના ધ્વજારોહણનું દિવ્ય આયોજન સંપન્ન થયું છે.જેમાં મોટી સંખ્યા માં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા

પોરબંદર ના નરસંગ ટેકરી સમસ્ત કોળી સમાજ દ્વારા તાજેતરમાં સેવાકર્મી પ્રમુખ લખમણભાઇ બામણીયાની ઉપસ્થિતિમાં સનાતન ધર્મના તારણહારને દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણના અંશાવતાર નકલંગ નેજાધારી રામદેવજી મહારાજનો ધ્વજારોહણ ઉત્સવ ઉત્સાહભેર ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. સામાજિક સમરસતા અને સહિષ્ણુતાનું પ્રીતક એવા શ્રી રામદેવજી મહારાજના ધ્વજારોહણ ઉત્સવ પ્રસંગે સુશોભિત રથ સાથેની પાલખી ભજન સંકીર્તન મંડળો સાથેની વિશાળ સામૈયું નીકળ્યું હતું.

જેમાં રામદેવજી મહારાજના ભકતો દુદાભાઇ મોકરીયા, ગીરીશભાઇ સોલંકી, હસમુખભાઇ બામણીયા, મિતેષભાઇ, લક્ષ્મણભાઇ બામણીયા, હર્ષદભાઇ બામણીયા, જીતુભાઇ બામણીયા, પ્રફુલ્લભાઇ નાથાભાઇ બામણીયા સહિત સાધુ-સંતો-મહંતો ગતગંગા અને ભકતો જોડાયા હતા. નરસંગ ટેકરી સાંઇબાબાના મંદિર પાછળ આવેલ રામદેવજી મહારાજના મંદિર ખાતે આ સામૈયું ધર્મસભાના રૂપમાં ફેરવાયું હતું. ત્યારબાદ મંદિરના વ્યવસ્થાપક ભીમજીભાઇ મકવાણાના હસ્તે ધર્મસભાનું મંગલદીપ પ્રાગટય કરવામાં આવેલ હતું.

ત્યારબાદ સમાજરત્ન ડો. ઇશ્વરભાઇ ભરડાએ ભકતજનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે રામદેવજી મહારાજને પૂજવાની સાથે સાથે તેમના સમાજસુધારણાના વિચારોને આત્મસાત કરવા આવશ્યક છે.આજે લોકો સુખી છે પણ તેમની પાસે શાંતિ નથી. ભૌતિકવાદ થકી શાંતિ નહીં મળે પણ ધર્મના સત્સંગ દ્વારા જ શાંતિ પ્રાપ્ત થશે. આજે માત્ર ભૌતિક નહીં પણ આધ્યાત્મિક કેળવણીની જરૂર છે. આ પ્રસંગે તાલુકા સમસ્ત કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ નારણભાઈ પૂંજાભાઈ બામણીયાએ યુવાનોને વ્યસનથી દૂર રહેવા અને શિક્ષણને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે છાચાપ્લોટ ખાતે ન્યૂ ઘેડિયા કોળી સમાજની વંડી ખાતે સૌરાષ્ટ્રભરમાંથી સ્પર્ધાત્મક પરીક્ષા આપવા પોરબંદર ખાતે આવેલ સમસ્ત કોળી સમાજના ભાઇ-બહેનો માટે ભોજન-આવાસની સુવિધા આપનાર સેવાકર્મી અરજનભાઇ આંત્રોલિયા તથા મંદિરમાં દર માસે બટુક ભોજન અને શિવરાત્રિત મહારુદ્રયજ્ઞ પ્રતિમાસે સત્યનારાયણ કથા દરરોજ સાંજે ૫ થી ૭ મહિલા સત્સંગ મંડળ ચલાવનાર અને સેવાકર્મી ભીમજીભાઇ મકવાણાનું મહાનુભાવોના હસ્તેશાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે દીવેચા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ રામદેવજી મંદિર પરિસરમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિર, સંકટમોચન હનુમાનજી મંદિર આવેલા છે. જેનો લાભ નરસંગ ટેકરી વિસ્તારના વિવિધ સોસાયટીના ધર્મપ્રેમી ભાઇ-બહેનો લઇ રહ્યા છે. નરસંગ ટેકરીના રામદેવજી મંદિર ખાતે રાત્રે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં રામસીભાઈ

બામણીયા શ્રીમતી લાખીબેન બામણીયા સહિતના કલાકારોએ ભાગ લીધો હતો.ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર મહાપ્રસાદ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રેમજીભાઇ બામણીયાએ સંભાળ્યું હતું તો આભારદર્શન બટુકભાઇ જેઠાભાઇ ગોહેલે કર્યુ હતું. આ ધાર્મિક ઉત્સવના અવસરે સમાજના અગ્રણીઓ કેશુભાઇ કરગટીયા, શ્રીમતી રાણીબેન મોકરીયા, શ્રીમતી પારૂલબેન ચૌહાણ, વેલાભાઇ ચા વાળા, અરવિંદભાઇ વાજા, કાનાભાઇ વાજા, પરસોતમભાઇ મકવાણા, સંતોકબેન બામણીયા, ભાવનાબેન કીડીયા, શ્રીમતી મંજુબેન દામજીભાઇ, સામતભાઇ વાઢીયા, વિશાલભાઇ બોરીચીયા, અરજનભાઇ આંત્રોલિયા સહિત આજુબાજુની વિવિધ સોસાયટીના ભાઇ-બહેનો, મહિલાસત્સંગ મંડળના બહેનો સહિત ભકત સમુદાય બહોળી સંખ્યામાં હાજર રહ્યો હતો.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે