Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

કુતિયાણા માં અનાજ ના ગોડાઉન માં થયેલ ચોરી મામલે ચાર શખ્સો ની ધરપકડ

કુતિયાણા માં અનાજ ના ગોડાઉન માં ત્રણ દિવસ પહેલા થયેલ અનાજ અને સિંગતેલ ના ડબ્બાની ચોરી નો ભેદ પોલીસે ઉકેલી ચાર શખ્સો ને સાડા ત્રણ લાખ ના મુદામાલ સાથે ઝડપી લીધા છે.

કુતીયાણાના એમ.જી. રોડ ઉપર વનરાજ એન્ટરપ્રાઈઝ નામની અનાજની હોલસેલ દુકાન ચલાવતા ભરત નાગાજણભાઈ ખુંટી ના સોની મહાજન સમાજની બાજુમાં આવેલ ગોડાઉનના તાળા તોડી તસ્કરો એ ગત તા ૩ ના રોજ રૂ ૯૦,૦૦૦ ની કીમત ની ૪૦ ગુણી જુવાર,રૂ ૨૨,૫૦૦ ની કીમત ના ૧૦ ગુણી ચણા તથા ૧૨૮૦૦ ની કીમત નું ૫ ડબ્બા સીંગતેલ સહિત કુલ ૧,૨૫,૩૦૦ ના અનાજ અને તેલની ચોરી થઇ હતી.

જે મામલે પોલીસે તપાસ હાથ ધરી ચાર શખ્સો સાદીક સબીરભાઇ કેસુર (ઉવ.૨૨ રહે.કુતિયાણા ભડીંગ ચોરા),સંજય ઉર્ફે મહેશ ઉર્ફે ગોરખો ભીમાભાઈ ઓડેદરા (ઉવ.૨૬ રહે.બહારપુરા હનુમાન મંદિરની બાજુમાં કુતિયાણા)સાગર વિનોદભાઇ રાવલ (ઉવ.૨૪ રહે.કુતિયાણા હરીઓમ સોસાયટી) તથા દેવદાસ નાગાભાઈ ભૂતિયા (ઉવ ૩૮ રે પટેલ લતા,કુતિયાણા)ને ઝડપી લઇ તેની પાસે થી ચોરી નો તમામ મુદામાલ ઉપરાંત ચોરી ના ગુન્હા માં ઉપયોગ કરેલ બોલેરો અને બાઈક મળી સાડા ત્રણ લાખ નો મુદામાલ કબ્જે કરી ચારેય શખ્સો ની વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે