Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પૂજ્ય માલદેવબાપુની પુણ્યતિથી નિમીતે પોરબંદર નજીક આવેલ પોલાપાણા ખાતે ભાવાંજલિ કાર્યક્રમ યોજાશે

પોરબંદર ના મહેર શિરોમણી માલદેવબાપુની ૫૭ મી પુણ્યતીથી નિમીતે ગોઢાણા નજીક પોલાપાણા ખાતે ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદર માં મહેર સમાજને સામાજિક અને શૈક્ષણિક વિકાસાર્થે આગળ વધારવામાં પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરનાર સમાજના સાચા કર્મઠ, શિલ્પી માલદેવબાપુએ સમાજ માટે આપેલા બલિદાનોને યાદ કરવા તેમજ મહેર સમાજની એકતા અને સંસ્કૃતિ પરંપરાના બાપુએ જોયેલા સ્વપ્નોને સાર્થક કરવાના આશયથી મહેર શક્તિ સેના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નાથા આતાના પવિત્ર સ્થાન પોલાપાણાના સાન્નિધ્યમાં ભાવાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં પરંપરાગત પોષાકમાં સમસ્ત મહેર સમાજને જોડાવા નિમંત્રણ પાઠવાયું છે. તા. ૧-૧-૨૦૨૩ ને રવિવારે સવારે ૮:૩૦ કલાકે નાથાઆતાના પાટીયા થી પોલાપાણા સુધી યોજાનાર રેલી નું પ્રસ્થાન કરાવવામાં આવશે. જેમાં મોટી સંખ્યા માં પરંપરાગત પોષાકમાં જ્ઞાતિજનો જોડાશે. ત્યાર બાદ પોલાપાણા મંદિર પાસે વીર નાથા આતાના દર્શન, ત્યાર બાદ પુ.માલદેવબાપુને ભાવાંજલિ અર્પણ કરાશે. ઉપરાંત પરંપરાગત પોષાકમાં મહેર – મણિયારો રાસ યોજાશે.

સમગ્ર કાર્યક્રમોમાં સૌને જોડાવા શ્રી મહેર શક્તિ સેના પરિવાર, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે