Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે એમડી ની નિમણુક ન થતા દર્દીઓ ને મુશ્કેલી

પોરબંદરની સિવિલ હોસ્પિટલના એમડી ફિઝિશ્યન ૧૫ દિવસ માટે કેન્સર ની ટ્રેનિંગ લેવા જતા રહેતા હોસ્પિટલ માં ઇમરજન્સી સહિતના દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાથી સિવિલ હોસ્પિટલ દ્વારા મેડિકલ કોલેજને પત્ર લખી એમડી ફિઝિશ્યન ને ફરજ સોપવા પત્ર લખાયા ના એક અથ્વૈડ્યા બાદ પણ એમડી ની નિમણુક ન થતા દર્દીઓ ની સ્થિતિ કફોડી બની છે
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં એમડી ફિઝિશ્યન તરીકે ફરજ બજાવતા ડો. ચંદ્રજીત સોલંકી 15 દિવસ માટે કેન્સરની ટ્રેનિંગ માટે ગયા છે. જેના કારણે હોસ્પિટલમાં સારવાર માટે આવતા ડાયાબિટીસ અને હૃદય ની બીમારી ધરાવતા દર્દીઓ, ઇમરજન્સી કેસના દર્દીઓ સહિત અન્ય દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા એમ.ડી. ફિઝિશ્યન વિના આવા દર્દીઓની સારવાર એમ.બી.બી.એસ. ડોકટર ન કરી શકે, કારણ કે કેટલાક કેસમાં એમ.બી.બી.એસ. ડોકટર દવા ઇન્જેક્શન અંગેનો નિર્ણય લઈ શકે નહિ.

મહત્વની વાત એ છે કે મેડિકલ કોલેજમાં એમ.ડી. સહિતના નિષ્ણાંત તબીબ છે અને તેમને પગાર પણ આપવામાં આવે છે, ત્યારે આ સિવિલ હોિસ્પટલ ખાતે તાકીદે સિવિલ સર્જન અને મેડિકલ કોલેજના ડીન દ્વારા સંકલન કરીને એમ.ડી. તબીબની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ હોવાથી સિવિલ હોસ્પિટલ ના આરએમઓ ડો નીલેશ મકવાણા એ તા ૧૩ ના રોજ સીડીએમઓ મારફત પત્ર લખી દર્દીઓ ની સુવિધા અર્થે મેડીકલ કોલેજ માં ફરજ બજાવતા એમડી તબીબો ની સેવા લેવા જણાવ્યું હતું. તેના એક અઠવાડિયા બાદ પણ હજુ સુધી મેડીકલ કોલેજ દ્વારા એમડી તબીબ ને મોકલવા માં ન આવતા હાલ અનેક દર્દીઓ ની મુશ્કેલી વધી છે. અને ઈમરજન્સી માં સારવાર અર્થે આવતા દર્દીઓ ને અન્યત્ર રીફર કરવા પડે છે.

આ અંગે મેડીકલ કોલેજ ના ડીન ને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે તેઓને સિવિલ હોસ્પિટલ દ્વારા એમડી ની સેવા અંગે કોઈ પત્ર પાઠવવામાં આવ્યો નથી. જેને લઇ ને આશ્ચર્ય સર્જાયું છે. સિવિલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ વચ્ચે સંકલન ના અભાવે હાલ તો દર્દીઓ પરેશાન થઇ રહ્યા છે. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે પોરબંદરની સરકારી હોસ્પિટલ માંથી અનેક વખત ડોકટરોને ડેપ્યુટેશન પર જામનગર અને દ્વારકા જેવા શહેરોમાં મૂકવામાં આવે છે. ત્યારે પોરબંદરની સરકારી હોસ્પિટલ એમ.ડી. તબીબ વિહોણી બની છે, તો ત્યાં પણ ડેપ્યુટેશન પર એમ.ડી. ડોકટર મૂકવા જોઈએ. અથવા તો મેડીકલ કોલેજમાં બેઠા પગાર લેનારા ડોકટરોમાંથી પણ કોઈને જરૂરીયાતમંદ દર્દીઓની સેવા માટે ભાવસિંહજી હોસ્પિટલ માં મૂકવા જોઈએ તેવી પ્રબળ માંગ કરવામાં આવી હોવાના સાત દિવસ બાદ પણ હજુ સુધી સિવિલ હોસ્પિટલ ને એમ.ડી. ડોકટરની સેવા મળી નથી.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે