Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના ઓડદર નજીક સિંહે પડાવ નાખ્યો હોવાથી તે વિસ્તારમાં આવેલ પાલિકા સંચાલિત ગૌશાળા નું શહેર માં સ્થળાંતર ની માંગ

પોરબંદર ના ઓડદર નજીક પાલિકા સંચાલિત ગૌશાળા આવેલી છે તે વિસ્તાર માં છેલ્લા એક માસ થી સિંહે પડાવ નાખ્યો હોવાથી ગૌશાળા ના પશુઓ ની સલામતીને ધ્યાને રાખી ગૌશાળાનું શહેરમાં સ્થળાંતર કરવા માંગ ઉઠી છે.

પોરબંદરના ઉદય કારાવદરા ચેરીટેબલ એનીમલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ ના ડો નેહલબેન કારાવદરા એ તંત્ર ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે. કે સિંહે છેલ્લા એક માસ થી ઓડદર અને રતનપર સીમ વિસ્તારમાં પડાવ નાખ્યો છે. આ વિસ્તારમાં દીપડા સહિતના વન્ય પ્રાણીઓ પણ વસવાટ કરે છે. સિંહે ઇન્દિરાનગર સુધી આંટાફેરા શરૂ કર્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા સિંહ માટે પૂરતી વ્યવસ્થા કરી, સિંહનું રેડિયો કોલર દ્વારા લોકેશન ટ્રેસ કરી સિંહને વાડી વિસ્તાર અને રહેણાંક વિસ્તાર સુધી અટકાવવા કામગીરી કરવી જોઈએ.

અગાઉ પાલિકા સંચાલિત ઓડદર સ્થિત ગૌશાળા સુધી દીપડો પહોંચી ગયો હતો. આ ગૌશાળા ખાતે હાલ પણ અનેક ગૌધન રહે છે. સિંહ અને દીપડા આ વિસ્તારમાં આવી અને ગૌશાળા ખાતે રહેતા પશુના વધુ મારણ કરે તે પહેલા તંત્ર દ્વારા ઓડદર સ્થિર ગૌશાળાનું શહેરમાં સ્થળાંતર કરવામાં આવે તો શહેરમાં ગૌધન માટે પૂરતી સુવિધા અને ગૌધન ને સલામતી મળી શકે તેમ છે. વન્ય પ્રાણીઓનો ડર પણ રહેશે નહિ. અને શહેરમાં ગૌશાળા નું સ્થાળાંતર થાય તો અન્ય દાતાઓ પણ અહી ઘાસચારા સહિતની સુવિધા આપી શકે તેમ છે. જેથી આ અંગે યોગ્ય કરવા રજૂઆત માં જણાવ્યું છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે