Saturday, August 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે ૧૪ ઓગસ્ટે તિરંગા બાઈક રેલી યોજાશે

પોરબંદર ખાતે શિવશક્તિ ગ્રૂપ દ્વારા તિરંગા બાઇક રેલીનું આયોજન કરાયું છે જે હરિમંદિર થી કિર્તીમંદિર સુધી યોજાશે.
પોરબંદર ખાતે શિવશક્તિ ગ્રૂપ દ્વારા તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગા અંતર્ગત આ બાઇક રેલી તા. 14 ઓગસ્ટના રોજ સવારે 8 કલાકે સંદીપની હરિમંદિર ખાતેથી પ્રસ્થાન થશે. કથાકાર રમેશભાઈ ઓઝા લીલીઝંડી આપી બાઇક રેલીને પ્રસ્થાન કરાવશે. આ બાઇક રેલી મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિમંદિર સુધી પહોંચશે. બાઇક રેલી દરમ્યાન ડીજે સાથે દેશભક્તિના ગીતો ગુંજી ઉઠશે. અને વાતાવરણ દેશભક્તિમય બનશે. રેલી પ્રસ્થાન સમયે વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રેલી પ્રસ્થાન સમયે દેશભક્તિ અંગે રમેશભાઈ ઓઝા પ્રવચન આપશે. આ રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈ તેવી શિવ શક્તિ ગ્રુપના પ્રમુખ કેતનભાઈ રાજુભાઇ ઓડેદરાએ અપીલ કરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે