પોરબંદર
પોરબંદરની કલાપ્રિય જનતા માટે આગમી તા. ૧૯-૦૫-૨૦રર થી તા. રર-૦૫-૨૦૨૨ સુધી ચિત્ર પ્રદર્શન “યુનિટી” નું આયોજન એચ.પી. આર્ટ સ્ટુડિયો દ્વારા કરવામાં આવેલ છે. આ ચિત્ર પ્રદર્શનમાં પોરબંદર જિલ્લાના ર૮ જેટલા કલાકારોના ચિત્રો, શિલ્પ તથા ગ્રાફીસ કલા નિહાળી શકાશે. આ પ્રદર્શનનું આયોજન મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન તા. ૧૯-૦૫-૨૦૨૨, ગુરૂવારના સાંજે ૬-૦૦ કલાકે, પોરબંદરના જાણીતા ચિત્રકાર અને રેતીશિલ્પકાર નથુભાઈ ગરચરના વરદ્ હસ્તે રાખવામાં આવેલ છે. આ પ્રદર્શનમાં મુખ્ય મહેમાન તરીકે ડો. યોગેશ એમ. સોની ઉપસ્થિત રહેશે.
ડેમોસ્ટ્રેશન
– તા. ૨૧-૦૫-૨૦૨ર, શનિવાર સાંજે ૫-૦૦ કલાકે પોરબંદરના જાણીતા શિલ્પકાર રામભાઇ ઘડીયાલી દ્વારા કલે મોડલીંગનું ડેમોસ્ટ્રેશન આપવામાં આવશે.
– તા. ૨૨-૦૫-૨૦૨૨, રવિવાર સાંજે ૫-૦૦ કલાકે અમદાવાદના જાણીતા ગ્રાફીકસ આર્ટીસ્ટ અલ્પેશ પટેલ દ્વારા લિનોટ પ્રિન્ટ મેકીંગનું ડેમોસ્ટ્રેશન આપવામાં આવશે.
પ્રદર્શનમાં ભાગ લેનાર કલાકારોઃ
અમીત થાનકી,અમીતસિંહ મસાણી,અનિલ થાનકી,અંકીતા મારૂ,અશોક પરમાર,આરતી શુકલા,આશા કેશવાલા, ભારતી ગીરનારી,ભીમભાઇ કોટીયા,દિપક જાની,ધારા જુંગી,ધૃતી ગોકાણી,હરદેવસિંહ જેઠવા,હિતેશ મકવાણા,જીજ્ઞા કિશોર,કિંજલ ઓડેદરા,મોહન ચાંડપા,મોનીકાબા જેઠવા,નરેશ ગૌસ્વામી,નિતા કોટીયા,પરબત કેશવાલા,પરિમલ મકવાણા,રાજદિપ ગજજર,રામ ઘડીયાલી,રણજીત ઓડેદરા,રણજીત પરમાર,સોનલ ઓડેદરા,તુલસી વઘાસીયા
પોરબંદરની જનતાને પ્રદર્શન તથા ડેમોસ્ટ્રેશન નિહાળવા આર્ટીસ્ટ હરદેવસિંહ પી. જેઠવા દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.