પોરબંદર
પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા અપહરણ કરાયેલ ગુજરાતની ફિશિંગ બોટો ના માલિકો ને આર્થિક સહાય આપવા પોરબંદર ભાજપ માછીમાર સેલ ના કન્વીનરે મત્સ્યોદ્યોગ મંત્રી ને રૂબરૂ મળી રજૂઆત કરી છે.
પોરબંદર ભાજપ માછીમાર સેલ ના કન્વીનર વિશાલ મઢવી એ મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરી ને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી જણાવ્યું છે.કે ગુજરાત રાજ્યની માછીમારી બોટો નું પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવેલ છે.આવી બોટનાં માલિકો દ્વારા બોટ બનાવવા માટે બેન્ક લોન તથા વ્યાજે અથવા ઉછીના ઉધાર રૂપિયાની વ્યવસ્થા કરી બોટ બનાવી રોજીરોટી કમાતા હોય છે.તેમાં પાકિસ્તાન મરીન દ્વારા બોટનું અપહરણ કરવામાં આવે છે.ત્યારે આવા બોટ માલિકોની આર્થિક હાલત ખુબ જ ખરાબ થઈ જાય છે.
આથી આવા બોટ માલિકને જ્યાં સુધી અન્ય કોઇ સરકારી યોજના તથા અન્ય રીતે બોટ બનાવવાની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી બોટના ખલાસીનાં કુટુંબને દૈનિક રૂ.૩૦૦ સહાય આપવામાં આવે છે.તે જ રીતે બોટ માલિકને પણ દૈનિક રૂ.૫૦૦ની સહાય આપવામાં આવે તો બોટ માલિકોને બોટ અપહરણ થયા બાદ નવી બોટ તૈયાર થાય ત્યાં સુધી આર્થિક રાહત મળી શકે તેમ છે.જેથી બોટ માલિકને પણ દૈનિક રૂ.૫૦૦ની સહાય આપવા સમગ્ર માછીમારો વતી રજૂઆત માં જણાવ્યું હતું.