પોરબંદર પંથક ના ૨૪ યુવાનો ને ઓસ્ટ્રિયા મોકલવાની લાલચ આપી ૭૮ લાખ રૂપિયાથી વધૂ રકમની છેતરપિંડી કરનાર રાજકોટની મહિલાના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે.
પોરબંદર ના જયુબેલી વિસ્તાર માં રહેતા પ્રતાપ ભીખુભાઈ ઓડેદરા એ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ આપી જાહેર કરેલ કે, કુણવદર ગામે રહેતા રામભાઈ સાજણભાઈ ગોઢાણીયાએ વિડીયો બહાર પાડી અન્ય આરોપી મિતલબેન વિનયકુમાર સુરજીવાલા રહે: રાજકોટ મારફતે ઓસ્ટ્રીયા વિદેશમાં ખેતીકામ માટે મોકલવાની જાહેરાત કરતા ફરીયાદી તથા તેની સાથેના ૨૩ જેટલા ભોગ બનનારોને ઓસ્ટ્રીયા તથા નોર્વે દેશમાં નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવી ફરીયાદી તથા ભોગ બનનાર સાહેદો પાસેથી રોકડ, ગુગલ પે તથા બેંક મારફતે એક વ્યક્તિ પાસેથી ૪ લાખ થી વધુની રકમ લેખે ફરીયાદી સહિત ૨૪ ભોગ બનનારો પાસે થી ૯૮,૧૩,૬૬૬/- ની રકમ મેળવી લીધી હતી.
ત્યાર બાદ ફરીયાદી તથા ભોગ બનનારાઓને વિદેશ નહી મોકલતા, ફરીયાદી તથા અન્ય વ્યક્તિઓ આરોપીઓના છેતપિંડીના ભોગ બનેલ હોય જેથી અવાર-નવાર રકમ પરત માંગવા આરોપીઓ પારો જતા આરોપીઓએ અમુક ભોગ બનનારોને કટકે-કટકે થોડી રકમ ચુકવી આપેલ હોય અને બાકી રહેતી રકમ નહી ચુકવી આપતા વિગરે મતલબની ફરીયાદ હકીકત ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જાહેર કરતા ઉદ્યોગનગર પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો નોંધી પ્રાથમિક તપાસ કરી આરોપીઓની શોધખોળ કરી બન્ને આરોપીઓની ગુન્હાના કામે અટક કરી નામ.કોર્ટમાં રજુ કરતા નામ.કોર્ટે આરોપીઓને જેલ હવાલે કરેલ.
જેલ હવાલે થયેલ આરોપીઓ પૈકી આ કામના મહિલા આરોપી – મિતલબેન વિનોદકુમાર સુરજીવાલા, રહે: રાજકોટ એ પોતે આ કામમાં નિર્દોષ હોવાનું જણાવી જામીન ઉપર મુકત થવા માટે સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલી. આરોપીની અરજી સામે એડીશ્નલ પબ્લિક પ્રોસીકયુટર અનિલ .જે.લીલા દવારા વિરોધ કરી જણાવેલ કે ગરીબ અને નાના વર્ગના ફરીયાદી સહીતના આશરે -૨૪ જેટલા ભોગ બનનારાઓને વિશ્વાસમાં લઈ આશરે ૯૮,૧૩,૬૬૬/-ની રકમ મેળવી લઈ ફરીયાદી તથા ભોગ બનનારાઓને વિદેશ નહી મોકલી તેઓ સાથે છેતરપિંડી આચરેલ હોય અને આ રીતે સમાજમાં હાલમાં આ પ્રકારના ગુન્હાઓનો વ્યાપ વધેલ હોય જામીન ઉપર મુકત કરવામા આવશે તો આ પ્રકારની છેતરપિંડી કરનારા ઈસમોને પ્રોત્સાહન મળશે
એ રીતે સરકાર તરફથી એડી.પી.પીશ્રી અનિલ જે.લીલા દવારા કરવામાં આવેલ મૌખિક દલીલ તથા પોલીસ દવારા કરવામાં આવેલ તપાસના કાગળો તથા મુળ ફરીયાદીએ રજુ રાખેલા વાંધા જવાબો ધ્યાને લઈ .સેકન્ડ એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એચ.શર્મા દવારા આરોપી-મિતલબેન વિનોદકુમાર સુરજીવાલાની જામીન અરજી ના-મંજૂર કરતો હુકમ કરવામા આવેલ છે.