Sunday, June 8, 2025

|| तुम रक्षक काहू को डरना ||

બખરલા ગામે વાડીમાં જેસીબી ચલાવવાની ના પાડતા વિધવાને ધમકી:ગામમાં જમીન લેવી હોય તો મને પૂછવું પડે:મારી ને દાટી દઈશ તો ખબર નહી પડે

બખરલા ગામે વાડી વિસ્તારમાં વાડી માં જેસીબી ચલાવવાની ના પાડતા વિધવાને બે શખ્સો એ ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદર ના જયુબેલી વિસ્તાર માં રહેતા હીરીબેન અરવિંદભાઈ ગોરસેરા (ઉ.વ-૫૮)નામના વિધવા મહિલા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ બે વર્ષ પહેલા બખરલા ગામે તેના માતા એ કાનાવાડી નામે ઓળખાતી જમીન વેચાતી લીધી હતી. ત્યાર બાદ હીરીબેન ના બીજા ભાઈ બહેનો એ જમીન માંથી હક્ક ઉઠાવી લેતા જમીન હીરીબેનના નામે થઇ હતી. ગત તા.૩/૫ ના તેઓ બન્ને પુત્રો સાથે જમીન ખાતે ગયા ત્યારે ધવલ મેઘનાથી નામનો શખ્સ ત્યાં જેસીબી ચલાવતો હતો. આથી તેને પૂછતા બખરલા ગામે રહેતા અરજન નરબતભાઈ ખુંટીએ જમીનમા પથ્થર તોડવા મોકલ્યો હોવાથી પોતે પથ્થર તોડતો હોવાનું જણાવ્યું હતું આથી હિરીબેને જમીન પોતાની હોવાનું જણાવતા ધવલે અરજનને ફોન કરી બોલાવતા અરજણ આવ્યો હતો.

આથી હિરીબેને પોતાની જમીન પર જેસીબી શા માટે ચલાવો છો તેમ પૂછતા અરજને“આ જમીન લેતા પહેલા તમોએ મને પુછેલ ?આ ગામમા જમીન લેવી હોય તો મને પુછવુ પડે આ વિસ્તાર મારો છે માટે આ જમીન હવે ભુલી જજો આ જમીન મારી છે અને આ વિસ્તાર પણ મારો છે. આ જમીનમા મારૂ મન પડે તેમ હું કરીશ તમે મને સારી રીતે ઓળખો છો હુ કોઈથી બીતો નથી મારા ઉપર ખુન તેમજ બીજા ધણા કેસો થયેલા છે અને ત્રણેય અહીંથી જતા રહો નહીતર ત્રણેયને મારીને દાટી દઇશ અને કોઈને ખબર પણ નહી પડે “ તેવી ધમકી આપી કાર માંથી લોખંડ નો પાઈપ કાઢી ઉગામ્યો હતો આથી હીરીબેન બન્ને પુત્રો સાથે ઘરે પરત જતા રહ્યા હતા ત્યાર પછી તા.૨૫/૫ ના રોજ તેઓને જાણ થઇ કે તેના ખેતર માં ફરી જેસીબી ચાલે છે. આથી તેનો પુત્ર તુરંત ખેતરે દોડી ગયો હતો અને જોયું તો ખેતર માં રહેલ વૃક્ષો પણ તોડી નાખ્યા હતા આથી અંતે ધવલ અને અરજન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે