Tuesday, June 10, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ૨૦ વર્ષીય યુવતી નો સુસાઈડ નોટ લખી આપઘાત

પોરબંદર ના ઇન્દિરાનગર વિસ્તાર માં યુવતી એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી છે પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદર ના ઇન્દિરાનગર વિસ્તાર માં રહેતી દિશા દિનેશભાઈ પરમાર (ઉવ ૨૦)નામની યુવતી એ શનિવારે વહેલી સવારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જે મામલે તેના મોટાભાઈ આશિષે પોલીસ માં એવું જાહેર કર્યું છે કે શનિવારે સવારે તે સુતો હતો. ત્યારે છએક વાગ્યે તેની મોટા બાપુ ની પુત્રી આશા એ તેને જગાડી એવું જણાવ્યું હતું. કે તેની નાની બહેન દિશા એ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આથી તે તુરંત અન્ય પરિવારજનો સાથે ઘર ના ઉપર ના માળે દોડી ગયો હતો.

પરંતુ ત્યાં રૂમ નો દરવાજો અંદર થી બંધ હોવાથી તેણે દરવાજો તોડી રૂમ માં પ્રવેશ કરતા દિશા માતા ની સાડી પંખામાં બાંધી ગળાફાંસો ખાઈ લટકી રહી હતી. આથી ૧૦૮ મારફત તેને સરકારી હોસ્પીટલે ખસેડતા ફરજ પર ના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જો કે આપઘાત ના ચોક્કસ કારણ અંગે જાણ ન હોવાનું તેણે પોલીસ માં જાહેર કર્યું છે. દિશા એ આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ પણ લખી છે જેમાં શું લખ્યું છે તે અંગે પી એસ આઈ બલદાણીયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક દિશા એ તાજેતર માં જ નર્સિંગ ની ઇન્ટર્નશિપ પૂરી કરી હોવાનું જાણવા મળે છે ત્યારે અચાનક તેણે આવું પગલું ભરી લેતા સમગ્ર વિસ્તાર માં અરેરાટી વ્યાપી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે