Monday, June 16, 2025

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર માં ભરણપોષણ ની રકમ માં વધારો મેળવવા કોર્ટ માં ખોટી રજૂઆત કરનાર પત્ની સામે ફોજદારી ગુન્હો નોંધવા કોર્ટનો હુકમ

પોરબંદર

પોરબંદર માં પતિની સામે ભરણપોષણની રકમમાં વધારો મેળવવા ખોટી રજૂઆતો સાથે કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયેલ પત્નીની સામે ફોજદારી ગુન્હો નોંધવા ફેમિલી કોર્ટે હુકમ ફરમાવ્યો છે.

પોરબંદરમાં રહેતા પિયુષ ભીમાભાઈ શીંગરખીયાની સામે તેમના પત્નીએ પતિ-પત્ની વચ્ચેના મન-મોટાવને લઈને અગાઉ ભરણપોષણ મેળવવાની અરજી દાખલ કરી હતી.જેથી કોર્ટે રૂ ૧૫૦૦૦ ભરણપોષણ ચુકવવાનો પતિને હુકમ કર્યો હતો.જે હુકમમાં વધારો કરાવવા પીયૂષની પત્નીએ કોર્ટ સમક્ષ 2021માં અલગથી અરજી દાખલ કરી હતી.જે અરજીમાં ખોટી રીતે ભરણપોષણની રકમમાં વધારો મેળવવા માટે કોર્ટમાં દ્વારા ખોટુ સોગંદનામું કર્યું હતું.અને અરજીમાં ખોટી હકીકતો જણાવી હતી.

જે અંગે પીયુશ ના એડવોકેટ એમ.જી. શીંગરખીયા, અને એન.જી.જોષી દ્વારા પરણીતાની તમામ શંકાસ્પદ હકીકતો બાબતે ઉલટ તપાસ કરી હતી.ત્યાર બાદ સાચી અને વાસ્તવિક હકીકતો કોર્ટમાં દસ્તાવેજી પુરાવાઓ સાથે ઉજાગર કરવામાં આવ્યા હતા.જેમાં પીયૂષની પત્ની દ્વારા સોગંદ ઉપર કોર્ટમાં ખોટી જુબાની આપી ખોટા પુરાવા રજૂ કરવામા આવ્યા હોવાનું સામે આવતા પીયુષ દ્વારા તેની પત્ની સામે ધોરણસરની કાર્યવાહી કરી ફોજદારી ગુન્હો નોંધવાની વિનંતી કરવામાં આવી હતી.કોર્ટે રેકર્ડ ઉપરની હકીકતો તથા બન્ને પક્ષોની રજૂઆતોને ધ્યાને લઈ પીયૂષની પત્ની દ્વારા જાણીબુજીને ખોટી હકીકતોને સાચા તરીકે દર્શાવ્યાનું ફલીત થતાં ફેમિલી કોર્ટે પરણીતા સામે લાગતા વળગતા પોલીસ મથકે ધોરણસર ગુન્હો નોંધાવવા અને કાર્યવાહી કરવા હુકમ ફરમાવ્યો છે.

આ કામમાં સામાવાળા(પતિ) પક્ષે પોરબંદરના વિદ્વાન ધારાશાસ્ત્રી જે.પી. ગોહેલની ઓફીસ તરફથી એમ.જી. શીંગરખીયા,એન.જી.જોશી,એમ.ડી.જુંગી,વી.જી.પરમાર,પંકજ પરમાર,જીજ્ઞેશ ચાવડા,મયુર સનીયા,રાહુલ એમ.શીંગરખીયા રોકાયેલા હતા.

જુઓ આ વિડીયો

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે