પોરબંદર માં હાલ માં જયુબેલી પુલ થી રોકડીયા હનુમાન મંદિર સુધી ના હાઇવે પર સ્ટ્રીટ લાઈટ ફીટ કરવાની કામગીરી શરુ કરાઈ છે. જેમાં આડેધડ ખોદકામ ના કારણે વૃક્ષો અને સાઈડ પેરાપેટ ને નુકશાન થતું હોવાનું જણાવી આર ટી આઈ એક્ટીવીસ્ટે આ મામલે મુખ્યમંત્રી ને લેખિત ફરિયાદ કરી છે.
પોરબંદરના એડવોકેટ કમ આર.ટી.આઈ. એકટીવિસ્ટ ભનુભાઈ ઓડેદરાએ મુખ્યમંત્રીને કરેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે પોરબંદર શહેરના બાયપાસ રોકડીયા હનુમાન મંદિરથી લઇ જયુબેલી પુલ- બોખીરા ફોરેલેન ઉપર વચ્ચેના ભાગમાં સ્ટ્રીટલાઇટ નાખવાની હોવાથી કોન્ટ્રાકટર દ્વારા ફોરલેન વચ્ચેના ભાગમાં વર્ષો જુના હયાત વૃક્ષો તથા હાલમાંજ વાવેલા ‘સદભાવના’ના વૃક્ષો ઉપર જે.સી.બી. મશીન મૂકી વચ્ચેના ભાગમાં ઇલેકટ્રીક કેબલ માટે ખોદકામ કરવાથી વૃક્ષોના મૂળ તૂટી જવા પામેલ છે. તથા આ ફોરલેનની લાખો રૂપિયાના ખર્ચે જે તે વખતે રાષ્ટ્રીય ધોરી માર્ગ દ્વારા કરવામાં આવેલી પેરાપેટ તૂટી જવા પામેલ છે.
આ સ્ટ્રીટલાઇટના કેબલ માટે ખોદકામ મેન્યુઅલી (માણસો)થી કરવાના બદલે મોટા જે.સી.બી.થી ખોદકામ કરવાથી મોટુ નુકશાન વૃક્ષો અને રોડ પેરાપેટને થવા પામેલ હોય આથી જવાબદાર એજન્સી અને આ કામનું સુપરવીઝન કરતા અધિકારી સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ કામગીરીમાં માનવીય બેદરકારીથી વૃક્ષોને અને સાઇડ પેરાપેટને નુકશાન થયેલ હોય. બાદ જણાવવાનું કે વિકાસના ઓથા નીચે હાલમાં ચાલતી સ્ટ્રીટલાઈટની રોકડીયા હનુમાન મંદિરથી જયુબેલી પુલ બોખીરા સુધીની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા ફોરલેન વચ્ચે ઇલેકટ્રીક કેબલ માટે માણસોથી કામગીરી કરવાના બદલે મોટા જે.સી.બી. મશીનથી ખોદકામ કરવાથી વચ્ચેના ભાગમાં આવેલા વૃક્ષોને નુકશાન થવા પામેલ છે અને હાલમાં સદભાવના -રાજકોટ દ્વારા વૃક્ષો વાવવામાં આવેલા છે. તેમને પણ નુકશાન થયેલ છે.
અને મોટુ નુકશાન વચ્ચેના ભાગમાં સિમેન્ટ કોંક્રીટથી બનાવવામાં આવેલી પેરાપેટ એકબાજુ તોડી નાખી ત્યાં કેબલ નાખવામાં આવી રહ્યો છે. આ કામગીરીમાં સુપરવિઝનનો સંપૂર્ણ અભાવ રહ્યો છે. જો નગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવતી હોય તો આ બાબત શરમજનક કહેવાય કે મેન્યુઅલી કામ કરવાના બદલે મોટા મશીનથી કામ કરવાથી મોટુ નુકશાન થવા પામેલ છે. આથી હાલમાં આ કામ અટકાવી જવાબદાર એજન્સી સામે અને આ કામ નું સુપરવિઝન કરનાર સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવું રજૂઆત માં જણાવ્યું છે.