Saturday, March 15, 2025

|| तुम रक्षक काहू को डरना ||

good news:પોરબંદરથી વિમાન માર્ગે હવે ગોવા,પટના,બેંગ્લોર,અને જબલપુર પણ જઈ શકાશે

પોરબંદર

આગામી ૨૭ માર્ચ થી પોરબંદર થી મુંબઈ ની ફ્લાઈટ શરુ થશે.જે ફ્લાઈટ ની મુંબઈ થી ગોવા,પટના,બેંગ્લોર અને જબલપુર સુધી પણ કનેક્ટિવિટી આપવામાં આવી છે.જેથી શહેરીજનો માં ખુશી જોવા મળે છે.

કોરોના ની બીજી લહેર દરમ્યાન બંધ થયેલ પોરબંદર થી મુંબઈ ની ફ્લાઈટ આગામી ૨૭ માર્ચ થી શરુ થનાર છે.જે મુંબઈ થી પોરબંદર આવવા સવારે ૮:૦૫ વાગ્યે રવાના થશે.જે પોરબંદર ખાતે ૯:૩૦ કલાકે પહોંચશે.અને ત્યાર બાદ મુંબઈ જવા માટે સવારે ૯-૫૦ એ પ્રસ્થાન થશે જે ૧૧:૧૦ વાગ્યે મુંબઇ પહોંચશે.આ ફ્લાઈટ ને દેશ ના અન્ય મુખ્ય શહેરો સાથે પણ કનેક્ટિવિટી આપવામાં આવી છે.જેમાં પોરબંદરથી સવારે ૯-૫૦એ ઉપડતી આ ફલાઇટને કનેકટીવીટી અપાતા બેંગ્લોર ખાતે રાત્રે ૮:૩૫ કલાકે પહોંચશે.જયારે ગોવા સાંજે ૫:૦૫ મિનિટે પહોંચશે.પટના સાંજે ૫:૨૦ મિનિટે પહોંચશે.અને જબલપુર સાંજે ૬:૫૫ મિનિટે પહોંચશે.ગાંધીભુમી ની અન્ય મોટા શહેરો સાથેની વિમાની કનેકટીવીટી ઉપલબ્ધ થતાં શહેરીજનોમાં પણ ખુશી જોવા મળે છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે