પોરબંદર
પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા રામનવમી ની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે જેમાં શોભાયાત્રા નું પણ આયોજન કરાયું છે આ ઉજવણી માટે ગઈ કાલે રાત્રે મહાલક્ષ્મી મંદિર ખાતે કાર્યાલય નો પ્રારંભ કરાયો છે જેમાં શીંગડા મઠ ના જેરામ દાસજી મહારાજ,માં રાંદલ શક્તિપીઠ ના ભગીરથપ્રસાદજી મહારાજ,ભૂતનાથ મહાદેવ મંદિર ના પુષ્કરનાથ મહારાજ અને ઇચ્છાપુરી મહાદેવ મંદિર ના રામશરણદાસજી મહારાજ સહિતના સાધુસંતો ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યાલય ખુલ્લું મુકાયું હતું સાથે શહીદ દિવસ નિમિતે શહીદો ને શ્રધાંજલિ અર્પણ કરાઇ હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ ના કાર્યકર્તા ઓ, માતૃશક્તિ – દૂર્ગાવાહિની ના બહેનો અને હિન્દુ સમાજના અગ્રણીઓ સાથે મોટી સંખ્યા માં શહેરીજનો જોડાયા હતા અને સમગ્ર કાર્યાલય પરિસર જય શ્રી રામ ના નારાથી ગુંજી ઉઠ્યું હતું.
જુઓ આ વિડીઓ