પોરબંદર
પોરબંદર માં હઝરત વલીયનશાહ પીર ની દરગાહે ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સૌરાષ્ટ્રભર માંથી મુસ્લિમ સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરની નિરમા ફેકટરી પાછળ આવેલ હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષની ઉજવણી થઈ હતી.ઉર્ષની આગલી રાત્રે સંદલ શરીફ કોડીનારથી ખાસ પધારેલ પીરેતરીકત સૈયદ રફીકબાપુ કાદરીના હસ્તે ચડાવવામાં આવ્યું હતું ત્યારે જેતપુરથી સૈયદ અસલમબાપુ,વંથલીથી સૈયદ હનીફબાપુ બુખારી,ઉપલેટાથી સૈયદ જીલાનીબાપુ કાદરી સહિતના સૈયદ સાદાતે કીરામ પણ ખાસ ઉપસ્થિત હતા.
ઉર્ષ શરીફ નિમિતે ૫૦ વર્ષની પરંપરા મુજબ ઉર્ષની પહેલી ચાદર નિરમા ગ્રુપ ના પ્રેસીડેન્ટ અદ્રોજાના હસ્તે દરગાહમાં ચડાવવામાં આવી હતી.આ ચાદરપોશીના પ્રોગ્રામમાં પોરબંદરના અનેક સામાજીક, સેવાકીય, રાજકીય, જમાતોના આગેવાનો, પ્રમુખો, અગ્રણીઓ ઉપસ્થિત હતા. ત્યારબાદ સાંજે આમ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો હિન્દુ-મુસ્લિમ ભાઈ-બહેનોએ ન્યાઝનો લાભ લીધો હતો.રાત્રે મિલાદશરીફનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ અસંખ્ય અકીદતમંદો જોડાયા હતા.
ઉર્ષશરીફ નિમિતે દરગાહમાં આકર્ષક રોશનીનો ઝળહળાટ પણ કરવામાં આવ્યો હતો.આ ઉર્ષના કાર્યક્રમોને સફળ બનાવવા માટે સૈયદ સાદીકીંયા હાસીમીંયા બુખારી ના નેજા હેઠળ જમીલભાઈ માંધુ, અમુભાઈ નૌવ્હી,એડવોકેટ અકબરભાઈ સેલોત, અમુભાઈ સામતાણી (કસ્ટમવાળા), મયુરસિંહ ગોહીલ, રહીમભાઈ કુરેશી, સલીમભાઈ મંધરા સહિતના બસ તેરા કરમ ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.આમ બસ તેરા કરમ ગ્રુપ અને હઝરત વલીયનશાહ વકફ ટ્રસ્ટ દ્વારા ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.