પોરબંદર ચોપાટી ખાતે હાલ ગરમીમાં મોડી રાત સુધી શહેરીજનો ચોપાટી ખાતે ટહેલતા હોય છે પરંતુ અહીની મોટા ભાગ ની સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી મુશ્કેલી પડી રહી છે. ત્યારે વહેલીતકે તમામ સ્ટ્રીટ લાઈટો નું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પોરબંદરની રમણીય ચોપાટી ઉપર ફરવા માટે મોટી સંખ્યા માં પ્રવાસીઓ આવતા હોય છે. અને ચોપાટી એ શહેરનું એક મહત્વ નું પ્રવાસન સ્થળ છે. અને ચોપાટી એ શહેરીજનો માટે પણ વહેલી સવાર થી મોડી રાત્રી સુધી ફરવા ટહેલવા માટે નું ફેવરીટ સ્થળ છે. અહી બાળકો થી લઇ ને વૃદ્ધો પણ આવતા હોય છે. હાલ ભારે ગરમી અને ઉકળાટ ના કારણે શહેરીજનો મોડી રાત્રી સુધી ચોપાટી ના ખુશનુમા વાતાવરણ ની મોજ માણતા હોય છે.
પરંતુ છેલ્લા ઘણા દિવસો થી મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલત માં જોવા મળે છે. જેના કારણે શહેરીજનોને રાત્રે બેસવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરી ને અંધારા નો લાભ લઇ કોઈ આવારા તત્વો છેડતી,ચીલઝડપ કરે તેવી ભીતિ પણ સતત રહે છે. અને અંધકાર ના લીધે અન્ય શહેર માં આવતા પ્રવાસીઓ પણ સ્થાનિક પ્રસાશન ની બેદરકારી અંગે રોષ ઠાલવી રહ્યા છે. આથી વહેલીતકે તમામ સ્ટ્રીટ લાઈટો નું સમારકામ હાથ ધરી શરુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અંગે સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક અમિતભાઈ ખોડા એ પણ પાલિકા ને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.
![](https://porbandartimes.com/storage/chopati-1.jpeg)
![](https://porbandartimes.com/storage/chopati-2.jpeg)