રાણાવાવ ની ૮૦ વર્ષીય માનસિક અસ્થિર વૃધ્ધા પુત્ર ના ત્રાસ થી કંટાળી પોરબંદર આવી પહોંચતા ૧૮૧ અભયમ ટીમે તેનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
પોરબંદર ના ભાવસિંહજી હોસ્પીટલ ખાતે ના જાગૃત નાગરીક દ્રારા ૧૮૧ નંબર પર ફોન કરી જણાવેલ કે એક નિ:સહાય વૃદ્ધા અહિં સારવાર લેવા માટે આવેલા તો તમો એમની મદદ માટે આવો. પોરબંદર ૧૮૧ અભયમ ટીમ સ્થળ પહોંચી જાગૃત નાગરીક સાથે ચર્ચા કરતા તેમને જણાવેલ કે આ વૃધ્ધા અહિંયા સારવાર માટે આવેલા હતા. તેઓ નિ: સહાય હોવાથી તેમની ઉંમર ને ધ્યાને લઈ અમોએ તેમને સારવાર અપાવા મા મદદ કરેલ. બાદમા વૃધ્ધા એ જણાવેલ કે મારો પુત્ર મને હેરાનગતિ કરે છે તો ઘરે કેમ જાવુ જેથી તમારી ટીમની મદદ માંગેલી.
૧૮૧ અભયમ ટીમ દ્રારા વૃધ્ધા ને સાંત્વના આપી તેમની સમસ્યા જાણતા તેમને જણાવેલ કે હું રાણાવાવ મા મારા પુત્ર સાથે રહું છું. મારો પુત્ર મને હેરાનગતિ કરે છે. મારી બે દિવસ થી તબીયત સારી ન હોવાથી મે મારા પુત્ર ને હોસ્પીટલ લઈ જવા જણાવેલ પરંતુ તે મારી સાથે આવેલ નહિ તેથી હું કંટાળીને કોઈને કહિયા વગર જ ઘરેથી નીકળી ને હોસ્પીટલ આવી ગયેલ. વૃધ્ધા ને પ્રોત્સાહન આપી વૃધ્ધા પાસેથી તેમના ઘરનુ એડ્રેસ મેળવી વૃધ્ધા ને લઈ તેમના ઘરે ગયેલા તેમનુ કાઉન્સેલિંગ કરતા તેમને જણાવેલ કે મારે પાંચ પુત્ર છે. ચાર પુત્ર ના લગ્ન થયા બાદ તેઓ મારાથી અલગ જ રહે છે. એક પુત્ર ના લગ્ન થયા નથી તે મારી સાથે રહે છે. તેને નશો કરવાની આદત હોવાથી વારંવાર નશો કરી ઘરે આવી મને અપશબ્દ બોલી હેરાનગતિ કરે છે.
૧૮૧ અભયમ ટીમ દ્રારા વૃધ્ધાને હેરાનકરનાર પુત્ર તથા બીજા પુત્રને તથા પુત્રવધુ ને બોલાવી તેમની સાથે વાતચીત કરતા તેમણે જણાવેલ કે વૃધ્ધા ની માનસિક સ્થીતી સારી ન હોવાના કારણે વારંવાર ઘરેથી નીકળી જાય છે. તેઓ ને અમારી સાથે રહેવા માટે લઈ જાએ પરંતુ તે આવતા નથી. ૧૮૧ ટીમ દ્રારા વૃધ્ધા ના પુત્ર તથા પુત્રવધુ ને તેમની જવાબદારી નીભાવવા સમજાવેલ, સાળસંભાળ રાખવા, સારવાર માટે હોસ્પીટ લઈ જવા જણાવેલ.વૃધ્ધા ના પુત્રોએ જણાવેલ કે અમો વૃધ્ધાને તેમની તમામ પ્રકારની જીવનજરુરીયાત વસ્તુઓ પુરી પાડશું તથા હોસ્પીટ મા સારવાર માટે પણ લઈ જાસુ જેથી હાલ વૃધ્ધા તેમના પુત્ર સાથે જ રહેવા માંગતા હોવાથી વૃધ્ધાને તેમના પુત્ર ને સોંપેલા.