પોરબંદરમાં પ્રથમ વખત વેલકમ ચેટીચંદની ઉજવણી કરવામાં આવતા મોટી સંખ્યા માં સિંધી સમાજ ના લોકો ઉત્સાહભેર જોડાયા હતા.
પોરબંદર શહેરમાં પ્રથમ વખત સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ ના જન્મોત્સવ નિમિતે વેલકમ ચેટીચંદનું આયોજન સિંધી યુવા સેના અને માતૃશક્તિ સંગઠન દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેમાં ઝુલેલાલ ભગવાનના પંજડા, સિંધી ડી.જે., રાસગરબા, ની મોજ કરવામાં આવી હતી.સિંધુ ભવન ઝુલેલાલ મંદિર ખાતે બહોળી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સંત શિરોમણી ખાનુંરામ સાહેબ મંદિરના ગાદીપતિ સાઈ મુલચંદ અને ભારતીમાતા તેમજ ગુરુનાનક મંદિરના દિનેશભાઈ અને સિંધી સમાજના ગોર દેવીદાસ શર્મા તેમજ જનરલ સિંધી પંચાયતના પ્રમુખ રવિભાઈ નેભનાણી અને તેની ટીમ તમામ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પુર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા પણ હાજર રહ્યા હતા તેમજ સિંધી સમાજ સાથે દાંડિયા રાસ ની રમઝટ બોલાવી હતી કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સિંધી યુવા સેના અને સિંધી માતૃશક્તિ સંગઠનની તમામ ટીમના સભ્યો તેમજ રાજેશભાઈ બજાજ અને રમેશભાઈ વેંશિમલની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.





