૬ વર્ષ પુરા થયા હોય તેવા બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાના ગત વર્ષના નિયમને કારણે આ વર્ષે આરટીઆઇ હેઠળ પ્રવેશમાં વિદ્યાર્થીઓને ભારોભાર અન્યાય થશે. તેમ જણાવીને આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીને પોરબંદર જીલ્લામાં છાત્રો પ્રવેશથી વંચિત રહી ન જાય તે માટે યોગ્ય પગલા ભરવા જરૂરી બન્યા છે. કારણ કે, પોરબંદરના રાણાવાવ અને કુતીયાણા પંથકમાં અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય તેવી સ્થિતિનું નિમાર્ણ થયુ છે.
અખીલ ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ તથા સ્વનિર્ભર શાળાઓ દ્વારા તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગના સચિવ ડો.વિનોદ રાવને એવી રજુઆત થઇ છે કે, ગતવર્ષે આઇટીઇના નિયમ મુજબ જે વિદ્યાર્થીઓને મે સુધીમાં બાળકોને ૬ વર્ષ પૂર્ણ થતા હોય તેમને જે પહેલા ધોરણમાં પ્રવેશ આપવો તેવો નિયમ અમલમાં આવ્યો તેથી ઉપરોકત નિયમની અમલવારીને કારણે ગતવર્ષે દરેક શાળાઓમાં ધો.૧માં ખુબ ઓછા વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર થયા છે.
તેના અનુસંધાને આ વર્ષે આઇ.ટી.ઈ. ના ઓછા વિદ્યાર્થીઓ ધો.૧માં પ્રવેશ મેળવી શકશે. નવી આઈ.ટી.ઈ. નીતી અન્વયે ધો.૧માં પ્રવેશ માટેની વયમર્યાદા ૫ વર્ષના બદલે ૬ વર્ષની કરવામાં આવેલ છે અને તેનો અમલ ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી કરવામાં આવેલ છે. સદર નવા નિયમના કારણે ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધો.૧માં પ્રવેશ મેળવવા પાત્ર વિદ્યાર્થી સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અને તે જ કારણોસર આઇટીઇમાં પણ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી સંખ્યામાં પણ ઘટાડો થયેલ છે. આરટીઇ પ્રવેશ ૨૦૨૪-૨૫ માં જો શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ની ધો.૧ની સંખ્યાને ધ્યાને લઇ પ્રવેશ આપવામાં આવશે તો આ ૬ વર્ષની ઉમરના વહીવટી અમલના કારણે ખુબ જ ઓછા વિદ્યાર્થીઓને લાભ મળશે.
આ વિગતને ઘ્યાને લઇ આ વર્ષે આરટીઈમાં પ્રવેશમાં ગતવર્ષની સંખ્યાને ધ્યાને લઇ વર્ગ દીઠ ફાળવણી કરવામાં આવે તેવી અમારી અપીલ છે. જેથી વધુમાં વધુ નાના અને ગરીબ વર્ગના વાલીઓને ફાયદો થશે. આ વિગત ધ્યાને લઇ આ વર્ષે આરટીઈ એડમીશનમાં છેલ્લા ત્રણ વર્ષની સંખ્યાની સરાસરી લઇ નવા વર્ષમાં તે પ્રમાણે આરટીઈ માં પ્રવેશ આપવમાં આવે તેવી અમારી ખાસ રજુઆત છે જેથી નાના સંચાલકો સાથે અન્યાય ન થાય તે રીતે આરટીઇના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી રજુઆત ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની ગુજરાતના શાળા સંચાલકો વતી રજુઆત કરીએ છીએ સત્વરે આ બાબતે ધ્યાને લઈ યોગ્ય કરવા માંગ થઈ છે કારણ કે, પોરબંદર જીલ્લાના રાણાવાવ અને કુતીયાણામાં અસંખ્ય વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય તેવી શકયતા જણાઈ રહી છે. તેથી યોગ્ય કરવુ અનિવાર્ય બન્યુ છે.