Thursday, June 26, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ૭૦ વર્ષથી વધુ વયના ૭૦ વડીલોનું મોમેન્ટો અને ઉષ્માવસ્ત્રથી અભિવાદન કરાયું

પોરબંદરમાં રઘુવંશી વડીલો માટે વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૭૦ વર્ષથી વધુ વયના ૭૦ વડીલોનું મોમેન્ટો અને ઉષ્માવસ્ત્રથી અભિવાદન કરાયુ હતુ.

પોરબંદરમાં રઘુવંશી વડીલો માટે વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોહાણા મહાજન સહિત ટ્રસ્ટના ઉપક્રમે પહેલી વખત વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન થયુ હતુ જેમાં ૭૦ વર્ષથી વધુ વયના ૭૦ વડીલોનું મોમેન્ટો અને ઉષ્માવસ્ત્રથી અભિવાદન કરાયુ હતુ.

પોરબંદર લોહાણા મહાજન તથા મોહનભાઈ ગોરધનદાસ કોટેચા તથા વિજયાબેન મોહનભાઇ કોટેચા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે મોહનભાઈ કોટેચા-તાજાવાલા લોહાણા મહાજનવાડી ખાતે વડીલોની ભાવવંદના કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ હતો. જેમાં ૭૦ વર્ષથી વધુ વયના ૭૦ વડીલોનું મોમેન્ટો અને ઉષ્માવસ્ત્ર સાથે સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ સમગ્ર કાર્યક્રમ લોહાણા મહાજનના પ્રમુખ સંજયભાઈ કારીયા તથા મોહનભાઈ ગોરધનદાસ કોટેચા તથા વિજયાબેન મોહનભાઈ કોટેચા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો. બી.ટી. કોટેચાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ અને વડીલો એ સમાજની મુડી હોય છે ને તેમના અનુભવો અને માર્ગદર્શન સમાજ માટે હંમેશા ઉપયોગી રહ્યું છે. તેઓને સન્માનવાના હેતુ સાથે આ પ્રથમ પ્રયાસ સ્વરૂપે થોડા વડીલોનું સન્માન કરવામાં આવ્યુ હતું.

એક વિશેષ વાત એ હતી કે રઘુવંશી સમાજના વડીલો માટે નવતર પ્રવૃત્તિઓ હાથ ધરવાની વિચારણા ઘણા સમયથી ચાલી રહેલ છે, પોરબંદર લોહાણા મહાજન અને કોટેચા ટ્રસ્ટનું સંયોજન થયેલ છે. અને મોહનભાઈ ગોરધનદાસ કોટેચા તથા વિજયાબેન મોહનભાઈ કોટેચા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રસ્થાપિત વાલીમા અપનાઘરમાં આપણા વડીલો માટે કાંઈક નોખી-અનોખી પ્રવૃત્તિઓ શરૂ કરવાની તૈયારી ચાલી રહેલ છે. આ પ્રોજેકટના બાંધકામના પ્લાન બની રહ્યા છે અને જેનો અંદાજે સવા કરોડ આસપાસ ખર્ચનો અંદાજ છે. આ તમામ ખર્ચ કોટેચા ટ્રસ્ટ દ્વારા ઉઠાવવાની જાહેરાત કરવામાં આવેલ છે અને સીનીટર સીટીઝન ડે-કેર સેન્ટર શરૂ કરવામાં આવશે અને તેના નિભાવ અને સંચાલનની જવાબદારી પોરબંદર લોહાણા મહાજન તરફથી દાતાઓના સહયોગ સાથે સંભાળવામાં આવશે.

આ પ્રસંગે પ.પૂ.ગો. શ્રી ૧૦૮ શ્રી વસંતકુમારજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન પાઠવેલ હતા. તે ઉપરાંત લોહાણા મહાજનના માનદમંત્રી રાજુભાઈ લાખાણી, ટ્રસ્ટી વિજયભાઈ મજીઠીયા, ભાવિનભાઈ કારીયા, સુરેશભાઈ કોટેચા, નાથુભાઈ ઠકરાર તેમજ કોટેચા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ડો. ભીખુભાઈ કોટેચા, સુરભીબેન કોટેચા, નિતીનભાઈ કોટેચા, પિયુષભાઈ મજીઠીયા, રાજુભાઈ લોઢારી, બકુલભાઈ મદલાણી તથા લોહાણા મિત્રમંડળના પ્રમુખ પરિમલ ઠકરાર તથા સભ્યો અને લોહાણા યુવાશક્તિના પ્રમુખ મિલન કારીયા તથા સભ્યો અને લોહાણા મહિલામંડળના મહિલા સભ્યોએ હાજરી આપી જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. રાજેશભાઈ કોટેચાએ કર્યુ હતુ.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે