પોરબંદર જિલ્લાની ૧૯ ગ્રામ પંચાયતની ચૂંટણી મા સરપંચપદ માટે ૫૪ ઉમેદવાર અને સભ્ય માટે ૩૧૧ ઉમેદવારો એ ફોર્મ ભર્યા છે જયી ૩૭ ગ્રામ પંચાયતની પેટાચૂંટણી માટે ૧૬ સભ્યોએ ફોર્મ ભર્યા છે.
પોરબંદર જીલ્લા માં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટાચૂંટણીના ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઇ છે જિલ્લામાં ૧૯ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે જેમાં પોરબંદર તાલુકામાં ૯ , રાણાવાવમાં ૩ અને કુતિયાણાની ૭ ગ્રામ પંચાયત માં ચૂંટણી જાહેર થઇ છે.જેમાં પોરબંદર તાલુકામાં કેશોદ-લુશાળા, ટુકડા-મીયાણી, વડાળા, વીંઝરાણા, બેરણ, શીશલી, મોઢવાડા, સોઢાણા અને અડવાણામાં ચૂંટણી યોજાશે.રાણાવાવ તાલુકામાં આદિતપરા, ઠોયાણા અને અમરદડ ખાતે અને કુતિયાણા તાલુકામાં ટીંબીનેશ, દેવડા, અમીપુર, અમર, કવલકા અને જમરા તથા માલ ગામે ચૂંટણી યોજશે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સરપંચ પદ માટે ૫૪ ઉમેદવારો એ ફોર્મ ભર્યા છે જ્યારે સભ્યપદ માટે ૩૧૧ લોકો એ ફોર્મ ભર્યા છે.
રાણાવાવ તાલુકામાં ૬ અને કુતિયાણા તાલુકામાં ૧૪ ગ્રામ પંચાયત માં પેટા ચૂંટણી યોજાશે જેમાં પોરબંદર તાલુકાના સીમર, મીત્રાળા, કડછ, બરડીયા, આંબારામા, ખાંભોદર, પારાવાડા, ભોમીયાવદર, શીંગડા, ખીસ્ત્રી, ઈશ્વરીયા, માધવપુર, પાલખડા, મીયાણી, ગોરસર-મોચા, રાણા રોજીવાડા વાછોડા ગ્રામ પંચાયતમાં,રાણાવાવ તાલુકામાં ભોદ, બીલેશ્વર, જાંબુ, રામગઢ, પીપળીયા અને હનુમાનગઢ અને કુતિયાણા તાલુકાના ખાગેશ્રી, કાંસાબડ, ભોગસર, ખુનપુર, ગોકરણ, ચૌટા, સેગરસ, પસવારી, છત્રાવા, ગઢવાણા, માંડવા, રેવદ્રા, કોટડા અને ચોલીયાણા ખાતે સભ્યો ની પેટા ચૂંટણી યોજાશે તો ભોગસર ગામે સરપંચની બેઠક ની પેટા ચૂંટણી યોજાશે છે. જે પૈકી માત્ર ૧૬ ઉમેદવારો એ જ સભ્ય પદ માટે ફોર્મ ભર્યું છે.