પોરબંદર એરપોર્ટ નજીક પુરઝડપે વતી કાર હડફેટે 3 ગૌધન ને ઈજાઓ થઇ હતી. આથી ગૌશાળા ના સંચાલકો એ તુરંત દોડી જઈ સારવાર આપવામાં આવતા ત્રણેય નો જીવ બચી ગયો છે.
પોરબંદરના એરપોર્ટથી થોડે દુર કોસ્ટગાર્ડ એર એન્કલેવ ના ગેઇટ નજીક પુરઝડપે આવી રહેલ કાર ચાલકે ત્યાં રહેલા ત્રણ ગૌધનને હડફેટે લીધા હતા. જે અંગે જાણ થતા ગૌશાળા ના સેવકો તુરંત દોડી ગયા હતા. અને ઈજાગ્રસ્ત ગૌધનને સ્થળ પર જ ઇન્જેકશન સહિત જરૂરી સારવાર આપી વધુ સારવાર માટે ગૌશાળામાં લઇ જવાયા હતા. અકસ્માતમાં કારનું બોનેટ સહીત આગળના હિસ્સાને પણ ખાસ્સું નુકશાન થયું હતું. જો કે ચાલકને ઇજા થઇ ન હોવાનું જણાવા મળ્યું છે.
ફાયર બ્રિગેડ ટીમ અને પોલીસ પણ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એરપોર્ટ થી કમલાબાગ સુધીના રસ્તે અવારનવાર રસ્તા પર બેઠેલા પશુઓ ને હડફેટે લેવાના બનાવ બન્યા છે. જેમાં અનેક પશુઓ ના મોત પણ નીપજ્યા છે. તેમ છતાં પશુઓ ને માલિકો દ્વારા રસ્તે રઝળતા કરી મુકવામાં આવે છે. તો બીજી તરફ હાઈવે હોવાથી વાહનચાલકો પણ પુરઝડપે વાહન ચલાવી આવા પશુઓ ને હડફેટે લઇ રહ્યા છે. અનેક બનાવો બન્યા છે. છતા પશુપાલકો તેમના પશુઓને રસ્તે રઝળાવી રહ્યા છે. અને વાહન ચાલકો પણ ઓવર સ્પીડમાં વાહનો ચલાવી મૂંગા પશુઓ ના ભોગ લઇ રહ્યા છે.