પોરબંદર માં બાળકો ને ભારતીય સંસ્કૃતિ તરફ વાળવા અને ઢાળવાના પ્રયાસરૂપે સંસ્કૃતિ સિંચન વૃંદ સંસ્થા દ્વારા શ્રીમદ્ ભાગવત ગીતાના અઢાર અધ્યાયના પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની ૨૦ શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહભેર ભાગ લઈને જોડાતા અલૌકિક વાતાવરણનું નિર્માણ થયું હતું.
ગીતાજી જયંતિના પાવન પર્વની ઉજવણીના હેતુથી સંસ્કૃતિ સિંચન વૃંદના સ્થાપક-ચંદ્રિકા તન્ના, સહસંયોજક અને સ્વદેશી અભિયાનના પ્રણેતા ડો. સુરેખાબેન શાહ, કમલભાઈ પાઉં-ગજાનન એકેડેમી અને મૈત્રેયભાઈ ઘઘડા- વાઘેશ્વરી જવેલર્સ દ્વારા ભગવદ ગીતાના આધ્યાત્મિક સંદેશના પ્રચાર પ્રસાર માટે ગીતાજીના અધ્યાયોના પઠનના કાર્યક્રમનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આમંત્રિત ધર્મગુરુ શ્રી પુ.પા.ગો.૧૦૮ શ્રી વસંતરાય મહારાજશ્રી, પુ.પા.ગો.૧૦૬ શ્રી ઉત્સવ કુમારજી અને સ્વામી શ્રી ભાનુપ્રકાશ શાસ્ત્રીજીના હસ્તે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનું પૂજન થયું જેમાં શંખનાદ સાથે માણેકબાઈ સ્કૂલના બાળકો જોડાયા હતા. પુજનીય જટાશંકર શાસ્ત્રીજી અને તેમના શિષ્યોએ ગીતાજીના પુજન વખતે મંત્રોચ્ચાર કર્યા હતા.
સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં આમંત્રિત મહેમાનો જિલ્લા કલેકટર કે.ડી લાખાણી, બાબુભાઈ બોખીરીયા,રમેશભાઈ ઓડેદરા (પટેલ),પાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, ડો. અનિલભાઈ દેવાણી, ડો.સુરેશભાઈ ગાંધી,પદૂભાઈ રાયચુરા, ચેમ્બર પ્રમુખ જીજ્ઞેશભાઈ કારીયા દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.આ આયોજનમાં પોરબંદરની ૨૦ સ્કુલના ટ્રસ્ટીઓ, આચાર્યો અને શિક્ષકોનો સહયોગ મળ્યો હતો. દરેક શાળાએ તેમના વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્દ ગીતાજીના એક એક અધ્યાયની તૈયારીઓ કરાવી પઠન કરાવ્યું હતું. તેમના દ્વારા શાળાના બાળકોને પ્રોત્સાહિત કરી અને ભારતીય સંસ્કૃતિ તરફ વાળવાનો પ્રયાસ થયો હતો. આ તમામ સ્કૂલો અને વિદ્યાર્થીઓ પોરબંદર જિલ્લામાં જ નહિ પણ દરેક જિલ્લાના બાળકો માટે પ્રેરણારૂપ બન્યા છે.
આ ગીતા પઠનમાં અધ્યાય-૧ યાજ્ઞવલ્ક્ય ગુજરાતી મીડિયમ સ્કૂલ,અધ્યાય-૨યાજ્ઞવલ્ક્ય ઇંગ્લિશ મીડિયમાં સ્કુલ.શ્લોક ૧ થી ૩૫, નવયુગ સ્કુલશ્લોક ૩૬ થી ૭૨,અધ્યાય-૩ એમ.ઈ.એમ. સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ,અધ્યાય-૪ એમ.ઇ.એમ સ્કૂલ,ઇંગ્લિશ મિડીયમ અધ્યાય-૫ માણેકબાઈ સ્કૂલ,અધ્યાય-૬ કે.બી. તાજાવાલા,ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ,અધ્યાય-૭ ઘેડિયા રાજપરા પ્રાથમિક શાળા,અધ્યાય-૮ખાપટ સીમ શાળા-૨,અધ્યાય-૯ ચમ સ્કૂલ,અધ્યાય-૧૦ માણેકબાઈ સંસ્કૃત વૈદિક પાઠશાળા,અધ્યાય-૧૧ચાણક્ય વિદ્યાલય,અધ્યાય-૧૨ઝુંડાળા પ્રાથમિક શાળા,અધ્યાય-૧૩ખાપટ સીમ-૧ પ્રાથમિક શાળા,અધ્યાય-૧૪ સુરૂચિ સ્કૂલ, અધ્યાય-૧૫ ગોઢાણીયા સ્કૂલ,અધ્યાય-૧૬ સાંદિપની સ્કૂલ સંસ્કૃત પાઠશાળા,અધ્યાય-૧૭ જવાહર નવોદય સ્કૂલ, અધ્યાય-૧૮ કસ્તુરબા સ્કૂલ ૧ થી ૪૦રૂપાળીબા કન્યાશાળા ૪૧ થી ૭૮,રજુ કરવામાં આવ્યા હતા.
આ આયોજનમાં તન, મન, ધનથી યોગદાન આપનાર આજકાલના સહતંત્રી જીજ્ઞેશભાઈ પોપટ,ચંદ્રેશભાઈ કિશોર,વર્ષાબેન ગોસ્વામી,પરીક્ષિતભાઈ મહેતા,ડો. સુરભી ગોટેચા, કિરણ તકવાણી,કે. કે. ફોટોગ્રાફર,નંદનભાઈ દાવડા,વિકેશ દત્તાણી,મનિષાબેન,પરેશભાઈ દુબલ, ભાવનાબેન તન્ના,પુજાબેન રાજા,ભારતીબેન વ્યાસ,દિવ્યાબેન કોટીયા,ડો. સનત જોશી,નીલમ નાગરે ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો.આ કાર્યક્રમના મુખ્ય દાતાઓ કમલભાઈ પાંઉ ગજાનન એકેડમી,ડો. સુરેખાબેન શાહ,મૈત્રેયભાઈ ઘઘડા – વાઘેશ્વરી જ્વેલર્સ,ડૉ.અનિલ દેવાણી,ડૉ. સુરેશ ગાંધી,ડો. ચેતન ગોકાણી,એડવોકેટ હિતેશ કોટેચા (ગીતાજી ભેટ),મીનાબેન મજીઠીયા,ભારતીબેન વ્યાસ,શશીકાંતભાઈ ઠકરાર,સંજયભાઈ માળી,પદુભાઈ રાઈચુરા,રમેશભાઈ ઓડેદરા (પટેલ) ભાજપ જિલ્લા પ્રમુખ,હાર્દિકભાઈ લાખાણી – કાઉન્સિલર,કમળાબેન કોટેચા હતા.
ગીતાજી જયંતિ ઉજવણી માટે આ તમામ લોકોનો સાથ અને સહકાર મળ્યો તે બદલ પ્રોજેક્ટ ચેરમેન- ચંદ્રિકા તન્ના, સહ સંયોજક ડો. સુરેખાબેન શાહ, કમલભાઈ પાઉં – ગજાનન એકડમી અને વાઘેશ્વરી જવેલર્સના મૈત્રેય ભાઈ ઘઘડાએ સૌનો હૃદયથી આભાર માન્યો છે, સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન પુજાબેન રાજા દ્વારા કરવામાં આવ્યું હતું.













