પોરબંદર
રાણાવાવ ના અમરદળ ગામે થી દીપડો પાંજરે પુરાયો છે.
અમરદળ ગામ નજીક સીમ વિસ્તાર માં છેલ્લા ત્રણ દિવસ થી દીપડા એ દેખા દેતા સ્થાનિકો માં ભય જોવા મળતો હતો. આથી આ અંગે વન વિભાગ ને જાણ કરતા વન વિભાગ ની ટીમ ત્યાં દોડી ગઈ હતી.અને દીપડા ને પાંજરે પુરવા કવાયત હાથ ધરી હતી.જેમાં ગઈ કાલે સાંજે ત્રણ વર્ષ નો માદા દિપડો પાંજરે પુરાયો હતો.જેને વન વિભાગે માઈક્રોચીપ લગાવી સાત વીરડા નેસ ખાતે ઓબ્ઝર્વેશન માં રાખ્યો છે.બે દિવસ બાદ તેને બરડા ડુંગર ના અંતરિયાળ વિસ્તાર માં મુક્ત કરવામાં આવશે તેવું જાણવા મળે છે.