પોરબંદર
આજે માધવપુર ખાતે આયોજિત લોકમેળા ના આખરી દિવસે મુખ્યમંત્રી ફરી ઉપસ્થિત રહેશે.તેઓ માધવપુર ના વિકાસ માટે કોઈ જાહેરાત કરે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે.
માધવપુર ખાતે તા ૧૦ ના રોજ શરુ થયેલ રાષ્ટ્રીય કક્ષા ના લોકમેળા નો પ્રારંભ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ માં કરાવ્યો હતો.અને ત્રણ દિવસ થી વિવિધ મહાનુભાવો,રાજકીય આગેવાનો,પૂર્વોત્તર રાજ્યો ના મુખ્યમંત્રીઓ આ લોકમેળાની મુલાકાત લઇ સાંસ્કૃતિક કાર્યક્રમોની મોજ માણી રહ્યા છે.આજે તા ૧૩ ના રોજ લોકમેળા ના અંતિમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ લોકમેળા માં ફરીથી ઉપસ્થિત રહેશે.
તેઓ ગાંધીનગર સચિવાલયના હેલીપેડ ખાતેથી હવાઈ માર્ગે ૪:૧૫ કલાકે માધવપુર આવવા રવાના થશે.અને માધવપુર ઘેડ ખાતે ૫:૫૦ મિનિટે પહોંચશે.૬:૦૦ વાગ્યાથી તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.અને ૮:૩૦ કલાકે ત્યાંથી પોરબંદર એરપોર્ટ ખાતે આવવા રવાના થશે.૯:૨૫ મિનિટે એરપોર્ટ ખાતેથી વિમાનમાં ગાંધીનગર જવા રવાના થશે. અને વિમાનમાં જ ડીનર લેશે તેવું જાણવા મળે છે.લોકમેળા ના અંતિમ દિવસે મુખ્યમંત્રી માધવપુર ઘેડની કરોડોના ખર્ચે કાયાપલટ કરતા વિકાસકાર્યોની જાહેરાત કરે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે.
તો લોકમેળા ના આખરી દિવસે ત્રિપુરાના કલાકારો દ્વારા નૃત્ય, બોટાદના જયપાલસિંહ ઝાલા દ્વારા મિશ્ર રાસ, મણિપુરના કલાકારો દ્વારા રાસ અને આસામ ના કલાકારો દ્વારા બિહુ નૃત્ય રજુ કરવામાં આવશે જયારે ચોરવાડ ના પ્રવીણભાઈ વાઢેર દ્વારા ટિપ્પણીરાસ, પોરબંદર ના કામદાર કલ્યાણ કેન્દ્ર દ્વારા ગરબા,લીલાભાઈ રાણાવાયા દ્વારા મણિયારો રાસ ઉપરાંત સચિન લીમયે અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા સાંગીતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે.