પોરબંદર
વિવિધ પડતર માંગણીઓ ને લઇ ને પોરબંદર ના સરકારી તબીબો હડતાલ પર ઉતર્યા છે.પરંતુ માધવપુર ના મેળા માં રાષ્ટ્રપતિ સહિત ના મહાનુભાવો પધારવાના હોવાથી હાલ પુરતી તબીબો એ હડતાલ મોકૂફ રાખી છે.
સમગ્ર રાજ્યમાં પડતર માંગણીઓ ને લઇને સરકારી ડોક્ટર્સ હડતાલ પર ઉતર્યા છે.આ હડતાલમાં પોરબંદરની સરકારી ભાવિસહજી હોસ્પિટલ ના ૧પ અને જીલ્લા પંચાયતના ૨૦ તબીબો જોડાયા હતા.પરંતુ માધવપુર ખાતે ૧૦ એપ્રિલ થી રાષ્ટ્રીય કક્ષાના મેળાનો પ્રારંભ થવાનો છે.અને આ મેળામાં રાષ્ટ્રપતિ સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેવાના હોવાથી હાલ સરકારી હોસ્પિટલ અને જિલ્લા પંચાયતના ડોકટરોએ આ કાર્યક્રમને લઈને હડતાલ મોકૂફ રાખી છે.જો કે કાર્યક્રમ બાદ રાજ્યના ડોકટર્સ એસોસીએશનના નિર્ણયને આધીન જો ડોકટરોની માંગ નહીં સંતોષાય તો ફરીથી ડોકટરો હડતાલમાં જોડાશે.