પોરબંદર
પોરબંદર નાં છાયા વિસ્તાર માં આવેલ મારુતિનગર માં પાણીની પાઈપલાઈન વીસ દિવસ થી તૂટેલી હોવાથી પાણી નો વેડફાટ થઇ રહ્યો છે જે અંગે સામાજિક કાર્યકર દ્વારા પાલિકા ને રજૂઆત કરાઈ છે
પોરબંદર નાં સામાજિક કાર્યકર મયુરભાઈ કલ્યાણજીભાઇ જોશી એ પાલિકા ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે પોરબંદર છાંયા નગરપાલિકા ના વોર્ડ નંબર ૧૩ માં આવેલ મારૂતિનગર વિસ્તારમાં પીવાના પાણી ની લાઈન તૂટેલી છે તેના રીપેરીંગ અંગે તેના દ્વારા તા ૩૦/૧૨/૨૧ નાં રોજ જ્યાંથી તૂટેલી છે તે ૫ જગ્યાએ લોકેશન સહિત બતાવી વહેલીતકે સમારકામ ની રજૂઆત કરવામાં આવી હતી જેથી પાલિકા એ બે સ્થળો એ સમારકામ હાથ ધર્યું છે પરંતુ હજુ પાણી ના ટાંકા પાસે ત્રણ સ્થળો એ હજુ પણ પાણી ની લાઈન તૂટેલી હાલત માં છે જેથી તેનું વહેલીતકે સમારકામ કરવામાં આવે તો પાણી નો વેડફાટ થતો અટકે તેમ છે તેવું જણાવી આ અંગે સ્થળ પર નાં વિડીયો સાથે નાં પુરાવા આપી તાત્કાલિક સમારકામ ની માંગ કરી છે