Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પાકિસ્તાન ની જેલ માંથી સૌરાષ્ટ્ર નાં ૨૦ માછીમારો એ લીધા મુક્તિ નાં શ્વાસ:તા 24 નાં રોજ વાઘા બોર્ડર ખાતે ભારત સરકાર ને કબજો સોપાશે

પોરબંદર

પાકિસ્તાની મરીન સિક્યુરીટી દ્વારા ત્રણ વર્ષ પહેલા અપહરણ કરાયેલ અને સૌરાષ્ટ્ર નાં વીસ માછીમારોને તા ૨૦ નાં રોજ પાક જેલમાંથી મુક્ત કરાયા છે.જેનો ૨૪ જાન્યુઆરીએ વાઘા બોર્ડર ખાતે ભારત સરકાર ને કબ્જો સોપવામાં આવશે.ત્યારે બાકી રહેતા માછીમારો અને ફિશિંગ બોટો ને પણ મુક્ત કરવા માંગ ઉઠી છે.

પાકિસ્તાની મરીન સીકયુરીટી એજન્સી દ્વારા અવારનવાર ભારતીય જળસીમા માં ઘુસણખોરી કરી સૌરાષ્ટ્રના માચ્છીમારોનું બોટો સાથે અપહરણ કરવામાં આવે છે.ત્યારે ત્રણ વર્ષ થી વધુ સમય થી પાકિસ્તાન ની જેલ માં કેદ હોય તેવા સૌરાષ્ટ્ર નાં વીસ માછીમારો ને તા ૨૦ નાં રોજ પાકિસ્તાન ની જેલ માંથી મુક્ત કરાયા છે.જે અંગે માહિતી આપતા પાકિસ્તાન ઇન્ડિયા ફિશ ફોરમ ફોર ડેમોક્રેશીના પોરબંદરના આગેવાન જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું કે વીસ માછીમારો ને પાક જેલ માંથી મુક્ત કરવામાં આવ્યા છે.જેનો કબજો લેવા ફિશરીઝ અધિકારીઓ રવાના થયા છે.અને તા 24 નાં રોજ વાઘા બોર્ડર ખાતે તમામ માછીમારો નો કબજો ભારત સરકાર ને સોપવામાં આવશે.અને ત્યાંથી ટ્રેન મારફત તેને વેરાવળ ખાતે લાવવામાં આવશે.

મોટા ભાગ નાં માછીમાર ઉના અને કોડીનાર પંથક નાં છે.હજુ પણ પાકિસ્તાન ની કેદ માં ૫૫૭ માછીમારો અને અબજો રૂપિયા ની કીમત ની ૧૨૦૦ થી વધુ ફિશિંગ બોટો છે.તેને પણ વહેલીતકે મુક્ત કરાવવા સરકાર કાર્યવાહી હાથ ધરે તેવું પણ જીવનભાઈ એ જણાવ્યું હતું.વીસ માછીમારો ની જેલમુક્તિ ને લઇ ને તેના પરિવારજનો માં ખુશી જોવા મળે છે.
મુક્ત થનાર માછીમારો નાં નામ

મુકત થનારા ૨૦ માચ્છીમારોમાં સુનીલ પ્યારેલાલ,રજો વિનોદ,બાચીલાલ રામ સેવક,બાબુ પ્યારેલાલ,વિવેક રામ બસલ,જેસિંગ ડોશાભાઈ,દિનેશ રાઈસિંગ,કામબલાપા ભવ્યેશ બાબુભાઈ,હરી ભીખા,મનુ વીરા,કરશન ખીમા,ભગત બાસુ, ભાવેશ ભીખા,નરેશ સીદી,કાના દેવા,ગોપાલ જીણા,અહેમદ દાદા,ભીમા માલા,ભરત હાજા,ધીરો કલાહ વગેરેનો સમાવેશ થાય છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે