પોરબંદર
કોસ્ટગાર્ડ ના ડીજી એ ગુજરાત ની ત્રિદિવસીય મુલાકાત લીધી હતી.જે દરમ્યાન તેઓએ વાડીનાર ખાતે કોસ્ટગાર્ડ જેટી નો શિલાન્યાસ તથા ઓખા ખાતે હોવર પોર્ટ નું ઉદ્ઘાટન કર્યું હતું.
ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક મહાનિદેશક વી.એસ. પઠાનિયા પીટીએમ,ટીએમ એ તા 15 થી 17 એપ્રિલ દરમિયાન ઉત્તર પશ્ચિમ તટરક્ષક પ્રદેશની મુલાકાતે આવ્યા હતા.જેમાં તેમણે ઓખા અને પોરબંદર ખાતે આવેલા જિલ્લા હેડક્વાર્ટર ખાતે વિવિધ કોસ્ટગાર્ડ યુનિટની મુલાકાત લીધી હતી.અને વાડીનાર તટરક્ષક સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી.આ મુલાકાતો દરમિયાન તેઓએ આ યુનિટ્સની પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી.અને તટરક્ષક દળના કર્મીઓ સાથે સંવાદ કર્યો હતો.
તેમણે ઓખા ખાતે હોવર પોર્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.અને વાડીનાર ખાતે તટરક્ષક જેટ્ટીનો શિલાન્યાસ કર્યો હતો.આ બંને પરિયોજનાઓથી આ પ્રદેશમાં ભારતીય કોસ્ટગાર્ડ નો વિકાસ થવામાં વેગ મળશે.અને ઝડપી પરિચાલન ટર્નઅરાઉન્ડ પ્રદાન થશે.તેમજ કોસ્ટગાર્ડ ની જાળવણી કામદારી વધુ વેગવાન થશે.ડીજી ની સાથે તટરક્ષિકાના અધ્યક્ષ પણ જોડાયા હતા.અને તેમણે કોસ્ટગાર્ડ કર્મીઓના પરિવારો સાથે સંવાદ કર્યો હતો તેમજ ઓખા ખાતે મેસ એનેક્સ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું.ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલા,ટીએમ, પ્રાદેશિક કમાન્ડર (ઉત્તર પશ્ચિમ) અને જિલ્લા કમાન્ડર્સ પણ ડીજી સાથે જોડાયા હતા.