Thursday, July 3, 2025

|| तुम रक्षक काहू को डरना ||

કુતિયાણા ના ડાડુકા અને વડાળા ગામના તલાટી મંત્રી ને ફરજ મોકૂફ કરાયા:ખાતાકીય તપાસ પણ શરુ

પોરબંદર

કુતિયાણા તાલુકાના ડાડુકા અને વડાળા ગામના તલાટી મંત્રીને ફરજ માં બેદરકારી બદલ જિલ્લા પંચાયત ના અધિકારી દ્વારા ફરજ મોકૂફ કરાયો છે.અને તેના વિરુદ્ધ ખાતાકીય તપાસ શરુ કરાઈ છે.

કુતિયાણા તાલુકાના ડાડુકા અને વડાળા બન્ને ગામો ના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા આશિષ સૂર્યકાન્ત ઠાકર તેની ફરજમાં બેદરકારી દાખવતા હતા.ગ્રામ્ય કક્ષાએ તથા જરૂરી મીટીંગો માં હાજર રહેતા ન હતા.અને અરજદારોને ધક્કા ખવડાવી સરકારી કામગીરી ખોરંભે ચડાવી હતી.અને ઉચ્ચ અધિકારીઓના ફોન પણ ઉપાડતા ન હતા.અને તેઓની સુચનાનું પાલન પણ કરતા ન હતા.આ તલાટી મંત્રીની ફરજ પરની બેદરકારી બદલ બન્ને ગામના સરપંચની ફરિયાદો મળી હતી.અને તાલુકા વિકાસ અધિકારીના અહેવાલના આધારે ગુજરાત પંચાયત અધિનિયમ ની કલમ મુજબ આશિષને ફરજ મોકૂફ કરી તેની સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરાઈ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે