પોરબંદર
પોરબંદર માં ધો ૧૨ સાયન્સ ની પરીક્ષા નું પરિણામ ૬૮.૫૬ ટકા જાહેર થયું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો ૧૨ સાયન્સ નું પરિણામ જાહેર કરાયું છે.જેમાં પોરબંદર જીલ્લા નું પરિણામ ૬૮.૫૬ ટકા જાહેર થયું છે.જીલ્લા માં એ-૧ ગ્રેડ એક પણ વિદ્યાર્થી એ મેળવ્યો નથી.જયારે એ-2 ગ્રેડ-૨૦ વિદ્યાર્થી,બી-૧ ગ્રેડ ૩૩ વિદ્યાર્થી,બી-2 ગ્રેડ ૪૭,સી-૧ ૬૪ વિદ્યાર્થી,સી-2 ૫૭ વિદ્યાર્થી,ડી-૨૧ વિદ્યાર્થી એ મેળવ્યો છે.કુલ ૩૫૪ માંથી ૧ વિધાર્થી પરીક્ષા માં ગેરહાજર રહ્યો હતો.જેમાંથી ૨૪૨ વિદ્યાર્થી પાસ થયા છે.જયારે ૧૧૨ વિદ્યાર્થી ને સુધારણા ની જરૂર છે.શહેર ની ગ્રાન્ટેડ શાળા નવયુગ વિદ્યાલય માં અભ્યાસ કરતો અને ઇન્દિરાનગર વિસ્તાર માં રહેતો ચિરાગ કરશનભાઈ વઢિયા નામનો વિદ્યાર્થી ૯૫.૬૩ પર્સન્ટાઈલ સાથે એ-2 ગ્રેડ મેળવ્યો છે.તેણે કુલ ૬૫૦ માંથી ૫૨૯ માર્ક મેળવ્યા છે.ચિરાગ ના પિતા નું ૧૨ વર્ષ પૂર્વે અવસાન થયું હતું.તેની માતા સુંદરબેને મજુરીકામ કરી તેને ભણાવ્યો છે.અને તે દરરોજ 6 કલાક વાંચન કરતો હતો.હવે તે સિવિલ એન્જીનીયર બનવા માંગતો હોવાનું તેણે જણાવ્યું હતું.ચિરાગ નું સારું પરિણામ આવતા નવયુગ વિદ્યાલય ના પ્રિન્સીપાલ તુષારભાઈ પુરોહિત સહીત સ્ટાફે પણ તેને અભિનંદન પાઠવ્યા છે.ચિરાગ સિવાય એ-2 ગ્રેડ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ ખાનગી શાળા ના છે.
તો બીજી તરફ નાના એવા રતનપર ગામના વતની લખનભાઈ અરજનભાઇ ઓડેદરાએ પોરબંદર ની ખાનગી શાળા ખાતે A2 99.37 PR સાથે કેન્દ્ર પ્રથમ સ્થાન મેળવ્યું છે તે બદલ રતનપર ના ભાજપ અગ્રણી અને પૂર્વ જીલ્લા યુવા ભાજપ પ્રમુખ ભીમભાઈ ઓડેદરા દ્વારા રતનપર નુ ગૌરવ વધારવા બદલ તેને પ્રોત્સાહન આપી અને સન્માન કર્યું હતું. લખનભાઈ ના પિતા અરજનભાઇ પશુપાલન અને ખેતી વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી પિતા ના વ્યવસાય મા મદદ કરવાની સાથે કેન્દ્ર પ્રથમ આવવા બદલ ભુરાઆતા અને મનસુખભાઇ જોશી પણ સન્માન મા જોડાયા હતા. લખનભાઈ ના પિતા તથા પરિવાર મા અભ્યાસ નુ પ્રમાણ ઓછું હોવા છતાં લખનભાઈ પોતાની જાતમહેનત દ્વારા આ સિધ્ધિ હાંસલ કરી છે.