પોરબંદરમાં સુભાષબાબુની જન્મજયંતિ નિમીત્તે ભારત તિબેટ સંઘના પોરબંદર યુવા વિભાગ દ્વારા વહીવટીતંત્ર અને નગરપાલીકાને આવેદન પાઠવી સુભાષચન્દ્ર બોઝની પ્રતિમાનું સ્થાપન કરવા માંગ થઈ હતી.
ભારત તિબેટ સંઘ પોરબંદર યુવા વિભાગ દ્વારા પોરબંદરના અધિક કલેકટર એમ.કે. જોશી અને ચીફ ઓફિસર મનન ચતુર્વેદીને ક્રાંતિવીર સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પોબંદર યુવા વિભાગ પ્રમુખ મયુર જોશી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સુભાષ ચંદ્ર બોઝ પશ્ચિમી સંસ્કૃતિ વિરૂદ્ધ આઝાદ હિંદ ફોઝનું નેતૃત્વ કરવાવાળા બોઝ એક ક્રાંતિકારી હતાં.
સ્વતંત્રતા માટે ના બલિદાન સંદર્ભે પોરબંદરના કોઈ જાહેર જગ્યા પર લોકોમાં દેશ ભાવના અને ઇતિહાસને પ્રતિમા સ્વરૂપે કંડારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં મહામંત્રી કુણાલ રજવાડી, ઉપપ્રમુખ પાર્થ રાજપૂત, કેવલ બોખીરીયા, મંત્રી મયુર કુહાડા અને ઉત્સવ ભટ્ટ, પ્રભાગ સંયોજક મનસુખ વ્યાસ, કારોબારી સભ્ય, સાગર મોઢા, આમંત્રિત સદસ્ય આનંદ નાંઢા, માનવ ઓડેદરા, સુમિત પંડિત, કરન મોઢવાડીયા હાજર રહ્યા છે.
