પોરબંદર
અખાત્રીજ હોવા છતાં પોરબંદરની સોની બજાર માં મધ્યમ ઘરાકી હોવા મળતી હતી.અને માત્ર નજીવા લોકોએ સોનાની ખરીદી કરી શુકન સાચવ્યું હતું.
અખાત્રીજના દિવસે સોનાની ખરીદી નું વિશેષ મહત્વ રહેલું છે.આ દિવસે કરેલા શુભ કાર્યનો ક્યારેય ક્ષય થતો ન હોવાથી લોકો સોનાની ખરીદી કરતા હોય છે.છેલ્લા 2 વર્ષથી કોરોનાને પગલે અખાત્રીજના દિવસે લોકડાઉન હોવાના કારણે સોની બજાર બંધ હોવાથી લોકોએ સોનાની ખરીદી કરી ન હતી.આ વખતે અખાત્રીજના દિવસે સોનાના દાગીના નું સારું એવું વેચાણ થશે તેવી આશા વેપારીઓ ને હતી.પરંતુ કોરોના પહેલા અખાત્રીજના દિવસે જેટલી સોનાની ખરીદી થતી હતી તેની સરખામણી એ આ વખતે સોનાની ખરીદી સામાન્ય રહી છે.
સોની વેપારી મહામંડળ ના પ્રમુખ જયંતભાઈ નાંઢા એ જણાવ્યું હતું કે એક તરફ મોંઘવારીના કારણે પણ લોકો ત્રસ્ત બન્યા છે.ઉપરાંત લોકો ના હાથ પર નાણું ન હોવાથી લોકો સોનાની ખરીદી કરતા નથી.ઉપરાંત હાલ સોનાના ભાવ 51050 એ પહોંચ્યો છે.જેના કારણે લોકો સોનાના દાગીનાની ખરીદી કરવાનું ટાળી રહયા છે.જોકે કેટલાક સોનાના શો રૂમ ખાતે ગ્રાહકોની ભીડ જામી હતી.ઝેવર જવેલર્સ ના માલિક સંદીપભાઈ રાણીંગાએ જણાવ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે મંદી હતી.પરંતુ હાલ બજારમાં જન જીવન થાળે પડી રહ્યું છે.બે વર્ષ બાદ અખાત્રીજના દિવસે ઘરાકી જોવા મળી છે. લાંબા સમય બાદ સોની બજારમાં ચાંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.મહામારીને કારણે બજારો બંધ રહ્યા. ઘણા પ્રતિબંધોને લઇને લગ્ન અને સામાજિક પ્રસંગો રદ થયાં. ઘણા લોકોની રોજગારી છીનવાઇ ગઇ અને ધંધામાં પણ મંદીને કારણે લોકો સોનું- ચાંદી ખરીદવાનું ટાળતા હતા.પણ હવે બજારો ખૂલી ગયા છે.હવે લગ્નસરા ની સીઝન પણ બરાબર જામી છે.તેથી સોની બજારમાં ધીરે ધીરે તેજીનો માહોલ જામી રહ્યો છે.
જય માતાજી જવેલર્સ ના જયભાઈ એ એવું જણાવ્યું હતું કે કોરોના અગાઉ ની અખાત્રીજ ની સરખામણી એ ૫૦ ટકા ઘરાકી છે.અગાઉ જે રીતે ગ્રાહકો તોલા-બે તોલા દાગીના ની ખરીદી કરતા હતા તે હવે માત્ર સોનાની વીંટી,બુટી ખરીદી રહ્યા છે.
જુઓ આ વિડીયો