પોરબંદર
પોરબંદર જીલ્લા ની સરકારી ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ જર્જરિત હોવાથી દર્દીઓ અને તબીબો સહીત નર્સિંગ સ્ટાફ ના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે.ત્યારે વહેલીતકે તેનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ એ જીલ્લા ની મુખ્ય હોસ્પિટલ હોવાથી શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર ના દર્દીઓ મોટી સંખ્યા માં અહી આવે છે.સવાર થી જ અહી કેસ કઢાવવા તથા ઓપીડી માં દર્દીઓ ની કતાર લાગે છે. પરંતુ આ હોસ્પિટલ માં અનેક ભાગ જર્જરિત બની ગયા છે.જેમાં દાઝી ગયેલા દર્દીઓ ના વોર્ડથી કેદી વોર્ડ સુધીની લોબીની છતમાં ગાબડા પડી ગયા છે.અને અહીંથી અવારનવાર પોપડા ખરી રહયા છે.આ લોબી માંથી દર્દીઓ તથા તેની સાથે આવનાર દર્દીના પરિવારજનો ઉપરાંત ડોકટર સહિત નસિંગ સ્ટાફ પણ પસાર થાય છે.ત્યારે તેઓને પણ ઈજા થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
એ સિવાય ઇમરજન્સી વોર્ડની છત પર પીઓપીમા પણ ગાબડા પડી ગયા છે.અને બિસ્માર હાલતમાં છે.જેથી કોઈ અનિચ્છનીય દુર્ઘટના બને તે પહેલા તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.હોસ્પિટલ ના સત્તાવાળા ઓ એ આ અંગે એવું જણાવ્યું હતું કે હોસ્પિટલ ની બિસ્માર હાલત અંગે તેમના દ્વારા વખતોવખત પી આઈ યુ વિભાગ ને લેખિત રજૂઆત કરાઈ છે.પરંતુ હજુ સુધી તેના સમારકામ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
જુઓ આ વિડીયો