પોરબંદર
હાલ ઉનાળા દરમ્યાન કાળઝાળ ગરમી પડી રહી છે.ભારે ઉકળાટ વચ્ચે લોકો ઠંડાપીણા પીને ઠંડક મેળવી રહયા છે. ત્યારે પોરબંદર ની ચોપાટી ખાતે વર્ષો થી જીવદયાપ્રેમીઓ દ્વારા અબોલ જીવ એવા પક્ષીઓ માટે અનેરો સેવાયજ્ઞ ચાલે છે.જેમાં ધોમધખતા તાપ માં ડંકી માંથી પાણી સીંચી કુંડા ભરી પક્ષીઓને ગરમીમાં રાહત મળે તેવું સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે.
સુદામાપુરી માં માનવીઓ અને પશુઓ માટે અનેક સેવાયજ્ઞો ચાલે છે.શહેરમાં વિવિધ સ્થળે અન્નક્ષેત્ર ચાલે છે.તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા અને વ્યક્તિઓ દ્વારા વિવિધ સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે.હાલ ભારે ગરમી પડી રહી છે.અને કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા લોકો એસી,પંખાનો સહારો લે છે તેમજ ગરમીથી રાહત મેળવવા ઠંડાપીણા પીતા હોય છે.ત્યારે પક્ષીઓ અને પશુઓ માટે પણ પાણીની સુવિધા મળે અને પક્ષીઓ આકરા તાપમાં ઠંડક મેળવી શકે તે માટે જીવદયા પ્રેમીઓ સેવાયજ્ઞ કરતા નજરે ચડે છે.
ચોપાટી પાસે દરરોજ જીવદયાપ્રેમીઓ ખોરાક ,ચણ નાખતા હોવાથી મોટી સંખ્યા માં પક્ષીઓનો જમાવડો થાય છે.આ પક્ષીઓને પાણી મળી રહે તે માટે અહીં બે ડંકી બનાવવામાં આવી છે.પક્ષીપ્રેમીઓ ભર બપોરે ધોમધખતા તાપ વચ્ચે પણ અહીં સેવા કરવા આવે છે.પક્ષીઓ માટેના પાણીના પાત્રોની સફાઈ કર્યા બાદ તેઓ પક્ષી અને પશુ માટે પાણી ભરે છે. તેમજ આ સ્થળે પાણીનો છંટકાવ કરે છે.જેથી પક્ષીઓને ઠંડક મળી શકે.
પક્ષીપ્રેમીઓની આ સેવા લોકોએ બિરદાવી છે.પક્ષીઓ પણ જાણે આ પક્ષીપ્રેમીઓને ઓળખતા હોય તેમ આ પક્ષીપ્રેમી ઓ જ્યારે પાણી ભરે છે.ત્યારે આસપાસ મંડરાયા કરે છે.અને પાણી ભરવામાં આવતા પાણીના પાત્રો માંથી પાણી પી ને ઠંડક મેળવે છે.તેમજ કેટલાક પક્ષીઓ તો પાણીના પાત્રોમાં બેસી છબછબિયાં કરી ગરમીમાં રાહત મેળવતા નજરે ચડે છે.
જુઓ આ વિડીયો