Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં એડવોકેટના ઘરમાંથી ૧.૮૨ લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો

પોરબંદર ના બોખીરા વિસ્તાર માં એડવોકેટ ના રહેણાંક મકાન માં થયેલ ચોરી નો ભેદ પોલીસે ઉકેલી બે શખ્સો ની ચોરી ના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ લીરબાઈ પાર્કમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા રાકેશકુમાર દર્શનપ્રસાદ પ્રજાપતિ નું મકાન ગત તા. ૧૦/૧૧ ના રોજ બપોરે દોઢ કલાક બંધ હતું. તે દરમ્યાન કોઈ તસ્કરોએ તેના ટેરેસના દરવાજા વાટે ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલ અંદાજે રૂા. ૧,૮૨,૦૦૦ ની કીંમતના ૨૨ ગ્રામ, ૧૨ ગ્રામ અને ૫ ગ્રામ સોનાના ૩ ચેઈનની ચોરી કરી હતી.

જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં આ એડવોકેટ રહે છે એ જ વિસ્તારમાં રહેતા સાગર પ્રદીપ દાઉદીયા (ઉ.વ. ૨૪) તથા કેશોદના રણછોડનગરમાં આવેલ કામધેનુ સોસાયટીમાં રહેતા ગૌમત કમલેશ ધુમલીયા (ઉ.વ.૨૧) નામના બંને શખ્સો ચોરેલા દાગીના લઇ જ્યુબેલીથી રોકડીયા હનુમાન મંદીર તરફ પગપાળા આવી રહ્યા છે. તેવી બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. અને બંનેને ઝડપી લીધા બાદ આકરી પુછપરછ કરતા તેની પાસેથી સોનાના ત્રણ ચેઇન સહિતનો ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. અને તેઓએ એડવોકેટના ઘરેથી ચોરી કરી હોવાની કબુલાત આપતા બન્ને ની ધરપકડ કરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે