Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમા ખવાસ જ્ઞાતિ દ્રારા સંત દેશળ દેવની નિર્વાણ તિથિની ભકિતભાવ સાથે ઉજવણી કરાશે

પોરબંદર ખાતે ખવાસ જ્ઞાતિના આરાધ્ય દેવ સંત શિરોમણી પૂજય દેશળ ભગતની ૯પમી નિર્વાણ તિથિની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવશે. ચૈત્ર સુદ તેરસને તા.૪ એપ્રિલને મંગળવારે ઉજવણી કરવામા આવશે. આ પ્રસંગે સાંજે ૪ કલાકે બીજા માળે આવેલા દેશળદેવ હોલના ડાઈનીગ એરીયાનુ તેમજ વરારાજાના રૂમનુ ઉદઘાટન દાતા પરિવારના હસ્તે કરવામા આવશે. તેમજ ડાઈનીગ હોલ માટે અનુદાન આપનાર દાતાઓનો સન્માન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ છે.

જેમા જ્ઞાતિના પ્રમુખ વજુભાઈ એરડા સહિતના જ્ઞાતિના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે તેમના હસ્તે દાતાઓનુ અભિવાદન કરવામા આવશે તેમજ સાંજના ૭ કલાકે દેશળદેવની મહાઆરતી કરવામા આવશે જેમા મોટી સંખ્યામા જ્ઞાતિજનો ઉપસ્થિત રહેશે ત્યાર બાદ રાત્રીના ૭ઃ૩૦ કલાકે મહાપ્રસાદીનુ આયોજન કરાવામા આવ્યુ છે. તેમજ 9.30 કલાકે જય સિયારામ ધૂન મંડલ ચંદુભાઈ સોઢા દ્વારા ધૂન રાખવામાં આવેલ છે.દેશળ ભગતની નિર્વાણ તિથિની ઉજવણી ને સફળ બનાવા માટે જ્ઞાતિના પ્રમુખ વજુભાઈ એરડા અને કાર્યાવાહક સમિતિના માર્ગદર્શન હેઠળ જ્ઞાતિનુ યુવક મંડળ અને મહીલા મંડળ જહેમત ઉઠાવી રહ્યા છે સંત શિરોમણી પૂજય દેશળ ભગતની ૯પમી નિર્વાણ તિથિની ઉજવણીને લઈ ને જ્ઞાતિજનોમા ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે