પોરબંદર શહેરમાં રાજકીય પક્ષો દ્વારા વિવિધ વિસ્તારમાં લગાવેલ એર બલુનના કારણે અકસ્માત થતા હોવાનું જણાવી આ એર બલુનને દુર કરવા રજૂઆત કરાઈ છે.
પોરબંદરના સામાજિક કાર્યકર પુંજાભાઈ કેશવાલા એ ચૂંટણી પંચ ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે વિધાસભાની ચુંટણીનું આયોજન થયું છે. જેમાં કોંગ્રેસ અને ભાજપ પક્ષ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચુંટણી પ્રચાર અર્થે ફૂગાઓ લગાડ્યા છે. જેના લીધે જાહેર રસ્તા પરથી નીકળતા વાહનોમાં વાહન ચાલકનું ધ્યાન આકર્ષિત થાય છે. અને વિવિધ જગ્યાએ વાહનોના અકસ્માતો થઇ રહ્યા છે. આથી ફૂગાઓ જે ખાનગી મિલકત પર લગાડવામાં આવેલ છે. જેના લીધે જાહેર રસ્તાઓ પર અકસ્માત થઇ રહ્યા હોવાથી કોઈનું જીવ જવાનું કારણ ના બને એ હેતુથી યોગ્ય નિર્ણય લઇને તમામ એર બલુન હટાડવા રજૂઆત માં જણાવ્યું છે.