Thursday, May 15, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ધનતેરસ ના દિવસે ૧ કરોડ ના ટુ વ્હીલર અને ૧ કરોડ ના ફોર વ્હીલર નું વેચાણ

પોરબંદર માં ધનતેરસ ના દિવસે અંદાજીત ૧ કરોડ ની કીમત ના ટુ વ્હીલર અને ૧ કરોડ ની કીમત ના ફોર વ્હીલર નું વેચાણ થયું છે જેના લીધે આરટીઓ ને પણ એક જ દિવસ માં પોણા બે લાખ થી વધુ ની આવક થઇ છે.

સામાન્ય રીતે વિજયાદશમી અને ધનતેરસ બન્ને દિવસ વાહન ખરીદી માટે શુભ ગણાય છે. ત્યારે પોરબંદર માં પણ ધનતેરસ ના દિવસે વાહનોનું સારું એવું વેચાણ થયું હતું લોકોએ અગાઉથી બુકિંગ કરીને ધનતેરસના દિવસે ડિલિવરી મેળવી હતી. મંદીના માહોલની ચર્ચા વચ્ચે કાર અને બાઇકના શો-રૂમમાં ધૂમ ખરીદી જોવા મળી હતી.જે રીતે ધનતેરસ સોની વેપારીઓ ને ફળી હતી તે જ રીતે વાહનો ના ધંધાર્થીઓ ને પણ ફળી હતી આરટીઓ માંથી મળેલ માહિતી મુજબ ધનતેરસ ના દિવસે ૧૫ મોટર કાર અને સ્કુટર અને બાઈક મળી ૧૧૩ વાહન સહીત કુલ ૧૨૮ વાહનો નું વેચાણ થયું હતું જેના થી આરટીઓ ને પણ ૧,૮૪,૮૭૪ ની આવક થઇ હતી હાલ ના ટુ વ્હીલ ના ભાવ ૧ લાખ ની આસપાસ જોવા મળે છે ત્યારે એકાદ કરોડ ના ટુ વ્હીલ નું વેચાણ થયું છે બીજી તરફ કાર ની કીમત ૬ થી ૭ લાખ મીનીમમ છે ત્યારે એક કરોડ થી વધુ ની કીમત ની કાર નું વેચાણ થયું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે