ગરીબ અને મધ્યમ પરિવારોને બિમારીના સમયે સારી હોસ્પિટલોમા વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે વર્ષ ૨૦૧૮માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષમાન ભારત યોજના શરૂ કરાઇ હતી. ત્યારે રાજ્યના લાખો પરિવારોએ આયુષમાન ભારત કાર્ડ કઢાવ્યુ છે તથા આ યોજના હેઠળ અનેક પરિવારોને વિનામૂલ્યે સારવાર મેળવી છે. પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના સંકલનમા જિલ્લામા અત્યાર સુધી ૧.૬૯ લાખથી વધુ આયુષ્યમાન ભારતના કાર્ડ નાગરિકોને કાઢી આપવામા આવ્યા છે. આ કાર્ડના માધ્યમથી જિલ્લાના અનેક પરિવારને આરોગ્ય લક્ષી સારવાર મળી છે.
આમ પોરબંદર જિલ્લામા આયુષ્માન ભારત યોજના બની સંજીવની સમાન બની છે. આ યોજનાના અંતર્ગત પ્રતિ વર્ષ રૂ. ૫ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર પ્રાથમિક, સેકન્ડરી અને ગંભીર બિમારીઓનો સમાવેશ થાય છે. યોજના સાથે જોડાયેલ પ્રાઈવેટ તેમજ સરકારી હોસ્પિટલમાં વાર્ષિક રૂપિયા ૫ લાખ સુધીની કેશલેશ સારવાર પુરી પાડવામા આવે છે. આ કાર્ડ યોજના સાથે જોડાયેલ તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ, તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો, અર્બન હેલ્થ સેન્ટર તથા ગ્રામ પંચાયતના વી.સી.ઇ દ્વારા કાઢી આપવામાં આવે છે.