Thursday, May 15, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં રઘુવંશીઓ માટે જલારામ સેવા દળની સ્થાપના કરાઈ

પોરબંદરના છાયા વિસ્તારમાં લોહાણા સમાજના યુવાનો આગેવાનોની બેઠક યોજાઇ હતી જેમાં જલારામ સેવા દળ નામની સંસ્થાની સ્થાપના કરવાની જાહેરાત થઈ હતી.

પોરબંદરના હદય સમા છાયા લોહાણા મહાજને સમાજની ચિંતા કરી અને સમાજને જાગૃત કરવા એક ચિંતન બેઠક બોલાવેલ જેમાં 90 થી વધુ લોકો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને જલારામ સેવા દળ ની સ્થાપના કરી હતી. સમાજના યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના મહત્વના પ્રોજેકટની ચર્ચા કરી હતી તેમજ સમાજમાં ઘુસી ઘુસી ગયેલા સેરસટ્ટાના દુષણ માંથી ખરાબ લત માંથી કેમ મુક્ત કરાવવા તેમજ આર્થિક રીતે નબળા પરિવારોના લોકોને આર્થિક સહાય કરી વ્યવસાય શરૂ કરાવવા તેમજ સરકારી યોજનાઓના લાભ મેળવવા અને સરકારી કામકાજની કનડગત હોઈ તો જલારામ સેવા દળ આખું સાથે રહી સરકાર સુધી વિગતવાર રજૂઆત કરી શકે તેવા અનેક મહત્વના મુદ્દાની ચર્ચા કરી હતી.

છાયા લોહાણા મહાજન પ્રમુખ લાલિતભાઈ કોટેચા એ મહત્વની જાહેરાત કરી હતી કે દેશના કોઈ પણ ખૂણા માંથી પોરબંદરના પ્રવાસે આવતા ભાઈઓ બહેનોને રહેવા માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે તેને છાયા લોહાણા મહાજન વાળી ખાતે વિના મૂલ્યે રહેવાની સગવડ કરી આપવામાં આવશે સાથેસાથે સમાજની અનેક પ્રવૃતિઓમાં વધુમાવધુ સંગઠન મજબૂત થાય તેવી હાકલ તમામ ઉપસ્થિત લોકોએ કરી હતી
 જલારામ સેવા દળ નામની સંસ્થાની સ્થપના કરી હતી જેમાં કોઈને હોદ્દા આપ્યા વગર નિસસ્વાર્થ ભાવે કામ કરવા યુવાનો ને જોડાવા કેતનભાઈ લાલિતભાઈ કોટેચા,કાંતિભાઈ બુધેચા,યોગેશભાઈ પોપટ અને રાકેશભાઈ મોનાણી એ સમાજના યુવાનો ને જૉમ અને જુસ્સા સાથે જલારામ સેવા દળ મા જોડાવા અપીલ કરી હતી.

આ મિટિંગમાં છાયા લોહાણા મહાજન પ્રમુખ લાલિતભાઈ કોટેચા,અને આખું ટ્રસ્ટી મંડળ ,પોરબંદર લોહાણા મહાજન મંત્રી રાજેશ લાખાણી ,લોહાણા અગ્રણી પ્રકાશ ભાઈ ઉનડકટ ,લોહાણા સગપણ સમિતિના અધ્યક્ષ હરીશભાઈ પોપટ અને જલારામ ગ્રુપના પરાગભાઈ ભુપતા અને તેમની ટીમ તથા જલારામ મંદિર યુવા ટીમ ના તમામ યુવાનો સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નજીકના દિવસોમાં જલારામ સેવા દળ ને વધુ મજબૂત બનાવવા શુભેચ્છઓ પાઠવી હતી.

આવનાર દિવસોમાં જલારામ સેવા દળ દ્રારા સમાજના નબળા પરિવારોને મદદરૂપ થવા માટે એક ચેરિટી શો જેવો એક કાર્યક્રમ કરી આર્થિક ભંડોળ ઉભું કરવામાં આવશે જે માત્ર લોહાણા રઘુવંશી સમાજ પૂરતો મર્યાદિત રહેશે જેમાંથી.થયેલી આવક સમાજ ઉપયોગી કાર્યમાં વાપરવામાં આવશે તેમ કેતનભાઈ કોટેચા ,કાંતિભાઈ બુધેચા યોગેશભાઈ પોપટ અને રાકેશભાઈ મોનાણી એ જણાવેલ હતું.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે