પોરબંદર ની સિવિલ હોસ્પિટલ માં કોરોના ના દર્દીઓ સ્વસ્થ થયા હોવા છતાં ફરજીયાત સાત દિવસ હોસ્પિટલ માં રાખવામાં આવતા રોષ જોવા મળે છે. અન્ય શહેરો ની જેમ સ્વસ્થ દર્દીઓ ને હોમ આઈસોલેટ કરવા માંગ ઉઠી છે.
પોરબંદર જીલ્લા માં કોરોના ના કેસ માં વધારો થતો જાય છે. જેથી હાલ સિવિલ હોસ્પિટલ ના આઈસોલેશન વોર્ડ માં ૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે.જેમાંથી અનેક દર્દીઓ સારવાર બાદ સાજા થઇ ગયા છે. અને સંપૂર્ણ સ્વસ્થ છે. તેમ છતાં સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓ ને ફરજીયાત સાત દિવસ આઈસોલેસન વોર્ડ માં રહેવાની ફરજ પાડવામાં આવે છે. કેટલાક દર્દીઓ એ જણાવ્યું હતું કે કોરોનામાંથી મુકત થઇ ગયા બાદ પણ ત્રણ ત્રણ દિવસથી હોસ્પીટલમાં ગોંધી રાખવામાં આવ્યા છે. અને તબીબો પાસે રજા માંગવામાં આવે ત્યારે એવું જણાવાય છે કે દર્દી ને સાત દિવસ સુધી હોસ્પિટલ માં રાખવા અંગે જીલ્લા વહીવટી તંત્રનો પરિપત્ર છે. જેથી સાત દિવસ સુધી દર્દીઓને રજા આપી શકાય નહી.
આથી દર્દીઓ અને તેના પરિવારજનો માં રોષ જોવા મળે છે.દર્દીઓ એ એવું જણાવ્યું હતું કે તેઓ સાજા થઇ ગયા બાદ અન્ય દર્દી દાખલ થાય તો ફરીથી તેનું સંક્રમણ લાગવાનો ભય રહે છે. ઉપરાંત દર્દીઓ ની તબિયત ના ખબર અંતર પૂછવા વાળાને પણ સંક્રમિત થવાનો ભય રહે છે. આથી અન્ય શહેરો માં જે રીતે દર્દી સાજા થાય ત્યાર બાદ તેને હોમ આઈસોલેશન કરવામાં આવે તે રીતે પોરબંદર માં પણ અમલવારી કરવા માંગ ઉઠી છે.