પોરબંદર ખાતે હાલ ના દિવાળી ના પાવન પર્વ દરમ્યાન મોટી સંખ્યા માં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.
પોરબંદર એ સૌરાષ્ટ્ર ના બે મહત્વ ના યાત્રાધામ સોમનાથ અને દ્વારકા વચ્ચે આવેલ હોવાથી ગુજરાત ઉપરાંત દેશ ના અન્ય રાજ્યો માંથી પણ મોટી સંખ્યા માં પ્રવાસીઓ નું આગમન થયું છે. શહેર ની અનેક હોટલો હાઉસફુલ બની છે. એસટી બસો, ખાનગી વાહનો તેમજ રેલવે મા પણ મુસાફરોનો ટ્રાફિક સારો એવો રહ્યો છે. શહેરના ચોપાટી,કીર્તિમંદિર ,સાંદિપની, સુદામા મંદિર સહિતના વિવિધ ફરવાલાયક સ્થળો ખાતે પ્રવાસીઓ ની ભારે ભીડ જોવા મળી હતી. જેને લઈને વિવિધ ધંધાર્થીઓ માં પણ ખુશી જોવા મળતી હતી.
તો બીજી તરફ શહેર મધ્યે આવેલ એક માત્ર સીએનજી પમ્પ ખાતે પણ વાહનોની કતાર લાગી હતી. કીર્તિમંદિર ખાતે સામાન્ય દિવસોમાં 300 થી 400 પ્રવાસીઓ મુલાકાત લેતા હતા. જ્યારે હાલના તહેવાર દરમ્યાન આ આંકડો દૈનિક ૧૨૦૦ થી ૧૫૦૦ પ્રવાસીઓ સુધી પહોંચ્યો હતો. તો અહીં આવેલ ગાંધીહાટ ખાતે પણ પૂબાપુની યાદગીરીરૂપે પ્રવાસીઓએ ચરખા,ટીશર્ટ,પેનસેટ,ટોપી વગેરેની સારી એવી ખરીદી કરી હતી.
કોરોના કાળના કપરા બે વર્ષ બાદ આ વખતે દિવાળીના તહેવાર દરમ્યાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા વિવિધ વ્યવસાયીઓને સારી એવી આવક થઈ હતી.