પોરબંદરમાં સીટી બસ સેવા શરૂ થતા સુદામા ચોકમાં વાહનોનું પાર્કિંગ છીનવાયું છે. તેથી જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને એડવોકેટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે.
પોરબંદરના આર.ટી.આઇ. એકટીવીસ્ટ કમ એડવોકેટ ભનુભાઇ ઓડેદરાએ જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે. કે પોરબંદર શહેરમાં આવતા દેશ -વિદેશના યાત્રાળુઓ, સુદામા મંદિરમાં દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે નગરપાલિકાના વહીવટદારો દ્વારા સુદામા ચોકમાં આવેલ પ્રવાસીઓ માટેના વાહનોનું પાર્કિંગ બંધ કરી દેવામાં આવેલ છે. ત્યાં માત્ર સીટી બસ સેવા માટે બધી બાજુ લોખંડના પોલ આડી સાંકળોથી બંધ કરી ચોકમાં કોઈપણ જાતના વાહનો પાર્કિંગ કરવા દેવામાં આવતા નથી.
આ સુદામાચોક જાહેર સ્થળ છે. ત્યાં પોરબંદરમાં યાત્રાધામ હોવાથી બહારના યાત્રાળુઓ આવે છે. ત્યારે પાર્કિંગ ન હોવાથી હેરાન થાય તે યોગ્ય ન હોય. આથી સુદામા મંદિર સામેનો ભાગ યાત્રાળુના પાર્કિંગ માટે તાત્કાલિક ફાળવવામાં આવે તેવી માંગણી કરી છે.
વધુ માં જણાવ્યું છે કે પોરબંદર શહેરની મધ્યમાં આવેલ સુદામામંદિરની સામે આવેલ ખુલ્લા ચોકમાં પાર્કિંગ આવેલું હતું. પરંતુ પોરબંદર શહેરમાં નગરબસ સેવા ચાલુ કરવામાં આવતા આ સુદામાચોકમાં કોઇ પૂર્વ મંજૂરી કે ખાતરી કર્યા વગર લોખંડના થાંભલા ખોડી સાંકળો મારી સુદામાચોકનો કબ્જો નગર બસ સેવાના સંચાલકો દ્વારા લેવામાં આવેલ હોય ત્યાં સુદામાચોકમાં મોટી કેબીન પણ ગેરકાયદેસર રાખવામાં આવેલ છે. ત્યાં બસમાં જવા માટે મુસાફરો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ ન હોવાથી બાળકો, મહિલાઓ તડકામાં ઉભે છે અને પોરબંદર બસ સેવા માટે સુદામા ચોકમાં પણ માત્ર બે થી ત્રણ બસ જ પાર્કિંગ હોય છે. બાકીની બસો રૂટો ઉપર હોય ત્યારે આખું ચોક બંધ કરવામાં આવેલ છે.
તે યોગ્ય નથી. પોરબંદર સુદામાપુરી તરીકે પણ ઓળખાતું હોય ત્યારે યાત્રાળુઓના વાહન માટે ચોગ્ય પાર્કિંગ ન હોય તે યોગ્ય નથી. આથી પોરબંદરમાંથી આ યાત્રાળુઓ હેરાન થઇ ન જાય તે યોગ્ય ન હોય તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ છે.