પોરબંદર માં રહેણાંક મકાન માં આગ ના કારણે દોઢ લાખ ની ઘરવખરી સળગી ને ખાક થઇ હતી.
પોરબંદર ના કડિયા પ્લોટ શેરી નં ૧ પ્રાથમિક શાળા ની બાજુ માં રહેતા દીપકભાઈ કાનજીભાઇ વિરમગામા ના રહેણાંક મકાન માં બપોર ના સમયે એકાએક આગ ભભૂકી ઉઠતા ફાયર ઓફિસર રાજીવભાઈ ગોહેલ ની આગેવાની માં ફાયર ટીમ તુરંત ત્યાં દોડી ગઈ હતી. અને બે ફાયર ફાઈટર વડે પાણી નો મારો ચલાવી લગભગ એક કલાક ની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ના કારણે ઘર માં રહેલ ઘરવખરી,25 હજાર ની ચલણી નોટો મળી કુલ દોઢ લાખનો સામાન સળગીને ખાખ થઇ હોવાનું જાણવા મળે છે. અને આગ નું કારણ શોટ સર્કીટ હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવે છે.