Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં રહેણાંક મકાન માં આગ ના કારણે એક લાખ ની ઘરવખરી ખાખ

પોરબંદર માં રહેણાંક મકાન માં આગ ના કારણે દોઢ લાખ ની ઘરવખરી સળગી ને ખાક થઇ હતી.

પોરબંદર ના કડિયા પ્લોટ શેરી નં ૧ પ્રાથમિક શાળા ની બાજુ માં રહેતા દીપકભાઈ કાનજીભાઇ વિરમગામા ના રહેણાંક મકાન માં બપોર ના સમયે એકાએક આગ ભભૂકી ઉઠતા ફાયર ઓફિસર રાજીવભાઈ ગોહેલ ની આગેવાની માં ફાયર ટીમ તુરંત ત્યાં દોડી ગઈ હતી. અને બે ફાયર ફાઈટર વડે પાણી નો મારો ચલાવી લગભગ એક કલાક ની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ના કારણે ઘર માં રહેલ ઘરવખરી,25 હજાર ની ચલણી નોટો મળી કુલ દોઢ લાખનો સામાન સળગીને ખાખ થઇ હોવાનું જાણવા મળે છે. અને આગ નું કારણ શોટ સર્કીટ હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવે છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે