પોરબંદર
પોરબંદર બાર એસોસિએશન ના પ્રમુખે હોદો સંભાળ્યાના ચાર માસ બાદ એકાએક રાજીનામું આપતા ચકચાર મચી છે.
પોરબંદર બાર એસોસિએશન ની ડીસેમ્બર-૨૧ માં યોજાયેલ ચૂંટણી માં વિજેતા બની પ્રમુખ તરીકે નો હોદો
સંભાળનાર હીરાભાઈ સાદિયા એ એકાએક રાજીનામું આપતા વકીલ આલમ સહીત કોર્ટ વર્તુળ માં ચકચાર મચી ગઈ છે. તેઓએ પોતાના લેટર પેડ પર આપેલા રાજીનામાં માં એવું જણાવ્યું છે.કે તેઓએ પ્રમુખ તરીકે જાન્યુઆરી ૨૦૨૨ થી ચુંટાયેલ પ્રતિનિધિ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.અને ત્યાર થી આજ સુધી તેઓને સહકાર આપતા હોદેદ્દારોના અને તમામ સભ્યોના સાથ સહકારથી નિષ્ઠાથી કામ કર્યું હતું.પરંતુ બારના અન્ય હોદ્દેદારો તથા અમુક સભ્યો તરફથી અસહકાર અને તંગદીલી ઉભી કરવામાં આવી રહી છે.
સમગ્ર બારની ગરિમા જળવાતી નથી, તે સંજોગોમાં સર્વે કારોબારી સભ્ય તથા સમગ્ર બારસભ્યો પાસે ક્ષમાયાચના સાથે તેઓ પ્રમુખ તરીકેના હોદ્દા ઉપરથી રાજીનામુ આપે છે.તેઓનું રાજીનામું બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ને મોકલવામાં આવશે.ત્યારે રાજીનામાં ના પગલે બાર એસોસિએશન દ્વારા નોટીસ બોર્ડ માં સુચના આપી એવું જણાવાયું છે કે વર્તમાન પ્રમુખ હીરાભાઈ એ પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાથી નવા પ્રમુખ ની વરણી કરવા અંગે ચર્ચા વિચારણા કરવા માટે આગામી ૩૦ એપ્રિલ ના રોજ બપોરે ૧ વાગ્યે બાર રૂમ માં મીટીંગ નું આયોજન કરાયું છે.હીરાભાઈ ના એકાએક રાજીનામાં ના કારણે વકીલ આલમ સહીત કોર્ટ વર્તુળ માં પણ ચકચાર મચી ગઈ છે.