Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર પાલિકા બાકી નીકળતો વેરો વસુલવા આકરા પાણીએ:વધુ ૩ મિલ્કત સીલ કરાઈ

પોરબંદર

પોરબંદર પાલિકા દ્વારા વધુ ૩ કોમર્શીયલ મિલ્કત સીલ કરાઈ છે.જયારે ૧૨ મિલ્કત ધારકો એ બાકી નીકળતો સવા લાખ રૂ નો વેરો સ્થળ પર ભરી દીધો હતો.
માર્ચ એન્ડીંગ પહેલા પોરબંદર પાલિકા દ્વારા લાંબા સમય થી બાકી નીકળતો વેરો વસુલવા કમર કસી છે.જેમાં અગાઉ ૧૫ જેટલી મિલ્કત સીલ કર્યા બાદ આજે વધુ ૩ કોમર્શીયલ મિલ્કત સીલ કરી હતી.હાઉસ ટેક્સ ઇન્સ્પેકટર વિપુલભાઈ ભટ્ટ,કમલેશભાઈ અમલાણી,દેવભાઈ નિમાવત, સુનિલભાઈ રામદતિ, સરજુભાઈ સિંધલ,માલદેભાઈ ખુંટી સહીતની ટીમ દ્વારા ૧૫ મિલ્કત સીલ કરવાનું આયોજન કરાયું હતું.જેમાં ૧૨ મિલ્કત ધારકો એ તેનો બાકી નીકળતો સવા લાખ રૂ નો વેરો ચૂકવી આપ્યો હતો.જયારે ખારવાવાડ માં આવેલ ૩ મચ્છી ની વખાર ના માલિકો નો ઘણા લાંબા સમય થી રૂ દોઢ લાખ જેટલો વેરો બાકી હોવાથી તે ત્રણ વખાર સીલ કરી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે