Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના ખારવાવાડ વિસ્તારની બંધ ડંકીઓનું તાત્કાલિક સમારકામ કરવા માંગ

પોરબંદર

પોરબંદર પાલિકા ના વિપક્ષ ના નેતા એ ખારવાવાડ વિસ્તારની બંધ ડંકીઓનું તાત્કાલિક સમારકામ કરવા રજૂઆત કરી છે.

પોરબંદર પાલિકા ના વિપક્ષ ના નેતા જીવનભાઇ જુંગી એ ચીફ ઓફિસરને કરેલી રજુઆતમાં એવુ જણાવ્યું છે કે, હાલ ઉનાળામાં શહેરના ખારવાવાડ સહિતના વિસ્તારોમાં અપુરતુ પાણી વિતરણ થઈ રહ્યું છે.આથી નગરપાલિકાના તંત્રએ આ વિસ્તાર માં આવેલી બંધ ડંકીના સમારકામ કરવા જોઇએ.તેમણે ખારવાવાડ વિસ્તારમાં આવેલી તમામ શેરીઓ માં ની ડંકીઓ અંગે સર્વે કરીને જણાવ્યુ છે કે શહિદ ચોક પોલીસ સામે, શેરી નં.૧ શહિદ ચોક પાસે, મોટી રાંદલ માતાજી પાસે, ગરબી ચોક પીર પાસે,હોળી ચકલા પાસે,જમાતખાના પાંચહાટડી પાસે,કાબાવલીયા ફળીયુ પાસે,જું ફળીયા પાસે, ગણેશ ડેરી પાસે,લાખાણી ફળીયામાં,શીતલા ચોક પાસે,વાંદરી ચોક પાસે,કિર્તી મંદીર પોલીસ ચોકી પાસે,કસ્તુરબા ગાંધીના ઘર પાસે વગેરે વિસ્તારમાં ડંકીઓ બંધ છે.તેનું તાત્કાલીક સમારકામ કરાવીને લોકોની સમસ્યા દુર કરવી જોઇએ તેવું રજૂઆત માં જણાવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે